For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વેરાવળ: લોકડાઉનને લીધે ધંધો ભાંગી પડતાં પ્લમ્બરની આત્મહત્યા

Updated: May 6th, 2020

વેરાવળ, તા. 06 મે 2020, બુધવાર

વેરાવળના ભાલકા વિસ્તારની વૃંદાવન સોસાયટીમાં પ્લમ્બિંગનું કામ કરતા નીતિન મનહરભાઈ કાચા(૩૨)એ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ આ યુવાનનાં માતાપિતા હયાત નથી. તેની બહેન સાસરે છે. પોતે એકલો રહેતો હતો.

લોકડાઉન બાદ કામધંધો ન હોવાથી આર્થિક રીતે તે ભીંસમાં મુકાઈ ગયો હતો. એ કારણથી તેણે જિંદગીથી છેડો ફાડ્યો હોવાનું પ્રાથમિક રીતે જણાઈ આવ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે અકસ્માતે મૃત્યુ થયાનો ગુનો નોંધી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને પગલે ભાલકા વિસ્તારમાં ફેલાઈ હતી.

Gujarat