For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વેરાવળ: લોકડાઉનને લીધે ધંધો ભાંગી પડતાં પ્લમ્બરની આત્મહત્યા

Updated: May 6th, 2020

Article Content Image

વેરાવળ, તા. 06 મે 2020, બુધવાર

વેરાવળના ભાલકા વિસ્તારની વૃંદાવન સોસાયટીમાં પ્લમ્બિંગનું કામ કરતા નીતિન મનહરભાઈ કાચા(૩૨)એ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ આ યુવાનનાં માતાપિતા હયાત નથી. તેની બહેન સાસરે છે. પોતે એકલો રહેતો હતો.

લોકડાઉન બાદ કામધંધો ન હોવાથી આર્થિક રીતે તે ભીંસમાં મુકાઈ ગયો હતો. એ કારણથી તેણે જિંદગીથી છેડો ફાડ્યો હોવાનું પ્રાથમિક રીતે જણાઈ આવ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે અકસ્માતે મૃત્યુ થયાનો ગુનો નોંધી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને પગલે ભાલકા વિસ્તારમાં ફેલાઈ હતી.

Gujarat