ધારી નજીક વનમાં એકાએક આગ ભભુકી ઉઠતા ૧૦ હેકટરમાં જંગલ બળીને ખાક
- સેમરડી નજીક ભયાનક દવમાં સુકુ ઘાસ, વૃક્ષો, સરીસૃપો જીવતા ભુંજાયા
- આગની ઘટના પાછળનું કારણ રહસ્યમય :
આગની ઘટના પાછળનું કારણ રહસ્યમય
ધારી, તા. 4 મે, 2020 સોમવાર
ધારીના સેમરડી નજીક અચાનક દવ લાગતા ૧૦ હેકટર જેટલું જંગલ બલીને ખાખ થઈ ગયું હતું. ધારી ગીર પુર્વમાં લગભગ બે વર્ષ બાદ ફરી દવ લાગવાની શરૂઆત થવા પામી હતી. આ દવ માનવસર્જીત છે કે કુદરતી તેની તપાસ ચાલી રહી હોય દવનું સત્ય બહાર આવશે કે કેમ તે મહત્વનું છે.
આગની ઘટના પાછળનું કારણ રહસ્યમય : બે વર્ષ બાદ ગીર-પુર્વમાં ફરી જંગલમાં દવ લાગતા લોકોમાં વનતંત્રની કામગીરી વિશે ઉઠતા સવાલ
ધારી ગીર - પુર્વની દલખાણીયા રેન્જની દલખાણીયા રાઉન્ડ હેઠળના સેમરડી ગામ નજીક બપોરનાં સમયે અચાનક દવ લાગતા વન વિભાગનો સ્ટાફ દોડી ગયો હતો. અને બપોરે લગેલો દવ મોડી સાંજે કાબુમાં આવ્યો હતો. જેમાં સુકુ ઘાસ, વૃક્ષો, સરીસૃપો જીવતા ભુંજાયા હતાં. આ દવ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પરંતુ ૧૦ હેકટર જેટલો વિસ્તાર દવમાં ખાખ થઈ જવા પામ્યો હતો. ધારી ગીર - પુર્વમાં છેલ્લા ૨ વર્ષતી દવ લાગતો નહોતો. પરંતુ હવે ફરી દવની ઘટના સામે આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તોડાક વર્ષ અગાઉ ધારી ગીર પુર્વમાં વારંવાર દવની ઘટના બનતી હતી. અને તેની આડમાં ઘાસ કટીંગ કૌભાંડ ચલાવવામા ંઆવતું હોવાની વિગતો બહાર આવી હતી.આ સંજોગોમાં ધારી પંથકનાં જંગલમાં લાગતી આગની ઘટનાએ વનતંત્રની કામગીરી સામે અનેકપ્રકારના સવાલો ઉઠયા છે.