રણધીર કપૂરની તબિયત વિશે રણબીર કપૂર જુઠ્ઠું બોલ્યા ? જાણો Dementia વિશે કાકાએ શું જવાબ આપ્યો
- રણવીર કપૂરે રણધીર કપૂરને Dementia નામની બીમારી હોવાનો ખુલાસો કર્યો
નવી દિલ્હી, 1 એપ્રિલ 2022, શુક્રવાર
ગુરૂવારે રણબીર કપુરનું એક નિવેદન વાયરલ થયું જેમાં તેણે દિગ્ગજ અભિનેતા રણધીર કપૂરને
Dementia નામની બીમારી હોવાનો ખુલાસો કર્યો હતો.રણબીરે કહ્યું હતુ કે કાકા આ બીમારીના પ્રથમ સ્ટેજમાં છે.
રણધીર કપૂરે આપી પ્રતિક્રિયા
રણધીર કપૂરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે અને Dementia વિશે પુછતાં તેમણે કહ્યું કે એવું કંઈ નથી, બિલકુલ પણ નથી. પરંતુ થોડા સમય પહેલા મને કોવિડ થયો હતો. જ્યારે તેમને રણબીરની Dementia હોવાની વાત કરી તો જવાબમાં તેમણે કહ્યું કે રણબીરની મરજી. તે જે ઈચ્છે તે કહેવોનો અધિકારી છે.
રણધીર કપૂરને ગમી "શર્મા જી નમકીન"
રણબીર કપૂરના દાવા વિશે બોલતા તેમણે કહ્યું કે શર્માજી નમકીન જોયા બાદ તેમણે ઋષિ કપૂરને ફોન કરવાની વાત કરી નથી. રણધીર કપૂરે "શર્મા જી નમકીન" જોયા બાદ તેમના ભાઈ ઋષિ કપૂરના વખાણ કરી કહ્યું કે ફિલ્મમાં તેઓ હંમેશાની જેમ ઉમદા હતા.
શું કહ્યું હતું રણબીર કપૂરે
રણબીર કપૂરે તેમના પિતાની છેલ્લી ફિલ્મ વિશે વાત કરતાં કહ્યું હતું કે, તેમના કાકા રણધીર કપૂર, જે Dementiaના શરૂઆતના સ્ટેજમાંથી પસાર થઈ રહ્યા છે. તેમણે ફિલ્મ જોયા બાદ તેમની પાસે આવીને કહ્યું હતું કે તારા પિતા ને કહી દે કે તેઓ શાનદાર છે, તેઓ ક્યાં છે, ચાલ તેમને ફોન કરીએ.