પીઢ અભિનેત્રી રેખા તેની સેક્રેટરી ફરઝાના સાથે લિવઇન રિલેશનશિપમાં રહે છે
- રેખાની બાયોગ્રાફીમાં ઘટફોસ્ટ
- પતિ મુકેશ અગ્રવાલની આત્મહત્યાનું કારણ રેખા-ફરઝાના સંબંધો
મુંબઇ : પીઢ અભિનેત્રી રેખા પોતાના અભિનય, સુંદરતા, લુક અને પરિધાન માટે જાણીતી છે. હાલમાં જ રેખાની બાયોગ્રાફી રેખા ઃ ધ અનટોલ્ડ સ્ટોરીમાં તેના અંગત જીવન પર એક દાવો કરવામાં આવ્યો છે. જેનાથી સહુ કોઇ આશ્ચર્યમાં પડી ગયા છે. યાસિર ઉસ્માન દ્વારા લેખિત આ બાયોગ્રાફીમાં દાવો કરવામાં આવ્યો છે કે, રેખા પોતાની સેક્રેટરી ફરઝાના સાથે રિલેશનશિપમાં રહે છે. ત્યાં સુધી કે ત ે લિવ-ઇનમાં પણ રહે છે.
૧૯૯૦માં રેખાએ દિલ્હીના બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન સાત મહિના પણ ટક્યા નહોતા. રેખા લંડન ગઇ હતી ત્યારે મુકેશે આત્મહત્યા કરી લીધી હતી. રેખાની બાયોગ્રાફીમાં દાવો કરવામાં આવ્યો છે કે, મુકેશે ફરઝાનના કારણે જ સુસાઇડ કરી લીધું હતું.
જોકે તેણે પોતાની સુસાઇડ નોટમાં એવો કોઇ ઉલ્લેખ કર્યો નહોતો. રેખા કદી પોતાના અંગત જીવન વિશે વાત કરતી નથી.
રેખાની બાયોગ્રાફીના પ્રમાણે, અભિનેત્રીના બેડરૂમમાં કોઇને પણ જવાની પરવાનગી નથી.ફક્ત તેની સેક્રેટરી ફરઝાના જ જઇ શકે છે.
તેમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, ફરઝાના જ રેખાની જિંદગી અને ડેલી રૂટીનનું ધ્યાન રાખે છે. તે કોની સાથે વાતો કરે છે તેના પર પણ ફરઝાના પૂરતું ધ્યાન આપે છે. રેખાએ પોતાના જીવનને વધુ પડતું ખાનગી રાખ્યું છે. તેના આ ગુપ્ત જીવનને ફરઝાના જ મેનેજ કરે છે.