એક્ટ્રેસ તૃષા કૃષ્ણન ટૂંક સમયમાં મલયાલમ પ્રોડ્યુસર સાથે લગ્ન કરશે તેવી અટકળો
Updated: Sep 19th, 2023
Image Source: Facebook
મુંબઈ, તા. 19 સપ્ટેમ્બર 2023 મંગળવાર
અભિનેત્રી તૃષા કૃષ્ણન સાઉથથી લઈને હિન્દી સિનેમા માટે પણ જાણીતો ચહેરો છે. થોડા સમય પહેલા એક્ટ્રેસ મણિરત્નમની ઐતિહાસિક ડ્રામા પોન્નિયિન સેલ્વન એટલે કે પીએસ1 અને 2 માં નજર આવી હતી અને હવે વર્તમાન સમયમાં તે પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે.
અભિનેત્રી પોતાની સુંદરતા અને શ્રેષ્ઠ એક્ટિંગ સ્કિલથી લાખો ચાહકોના દિલ પર રાજ કરે છે. રિપોર્ટ અનુસાર તૃષા પોતાના જીવનના આગામી તબક્કા માટે આગળ વધી રહી છે. તૃષા ટૂંક સમયમાં એક મલયાલમ પ્રોડ્યુસર સાથે લગ્ન કરશે. જોકે એક્ટ્રેસ તરફથી આ વિશે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
થોડા દિવસ પહેલા તૃષા કૃષ્ણને પોતાની ફિલ્મ પોન્નિયિન સેલવન 2 ના પ્રમોશન દરમિયાન પોતાના વેડિંગ પ્લાનિંગ અંગે ખુલાસો કર્યો હતો. અભિનેત્રીએ શેર કર્યું હતુ કે તેણે હજુ સુધી આ વિશે કોઈ નિર્ણય લીધો નથી.
ઉલ્લેખનીય છે કે 23 જાન્યુઆરી 2015એ ચેન્નઈના એક બિઝનેસમેન સાથે અભિનેત્રી તૃષાની સગાઈ થઈ હતી પરંતુ થોડા મહિના બાદ બંને અલગ થઈ ગયા હતા.