mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

અક્ષય કુમારની ફિલ્મનું ટાઈટલ બદલીને શંકરા નક્કી કરાયું

Updated: Apr 2nd, 2024

અક્ષય કુમારની ફિલ્મનું ટાઈટલ બદલીને શંકરા નક્કી કરાયું 1 - image


- ફિલ્મ જાણીતા વકીલની બાયોપિક

- અગાઉ ધી અનટોલ્ડ સ્ટોરી ઓફ સી. શંકરન નાયર એવું નામ નક્કી થયું હતું

મુંબઇ : અક્ષય કુમારની ફિલ્મ 'ધી અનટોલ્ડ સ્ટોરી ઓફ સી. શંકરન નાયર'નું ટાઈટલ બદલીને 'શંકરા' કરી દેવામાં આવ્યું છે. 

આઝાદી પહેલાં બ્રિટિશ રાજ સામે કાનૂની લડત આપનારા વકીલ સી. શંકરન નાયરની આ બાયોપિકનું નિર્માણ કરણ જોહર કરી રહ્યો છે. તેમાં માધવન તથા અનન્યા પાંડે અક્ષયના સહકલાકારો છે. સી. શંકરન નાયરના પૌત્રએ તેમના વિશે લખેલાં પુસ્તકને આધારે આ ફિલ્મ બની રહી છે. 

ફિલ્મનું શૂટિંગ ગયાં વર્ષથી શરુ થઈ ચૂક્યું છે. જોકે, હજુ મોટાભાગનું શૂટિંગ બાકી છે.  આ ફિલ્મનું દિગ્દર્શન નવોદિત દિગ્દર્શક કરણ સિંહ ત્યાગી ને સોંપવામાં આવ્યું છે. ફિલ્મમાં અનન્યા પાંડે અક્ષય કુમારની આસિસ્ટન્ટની ભૂમિકામાં હોવાનું જાણવા મળ્યું છે.

Gujarat