Get The App

સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની કહાની: કવિની કલ્પના કેટલી, હકીકત કેટલી?

Updated: Jun 4th, 2022

GS TEAM

Google News
Google News
સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની કહાની: કવિની કલ્પના કેટલી, હકીકત કેટલી? 1 - image


નવી દિલ્હી, તા. 04 જૂન 2022 શનિવાર

બાળકો, બેગમાંથી સામાજિક વિજ્ઞાનનુ પુસ્તક કાઢો. ચેપ્ટર-2 ખોલો. આજે આપણે તે કહાની વાંચીશુ જે ભારતના ઈતિહાસનો ટર્નિંગ પોઈન્ટ છે. આ ચેપ્ટર 'નવા રાજા અને તેમના રાજ્ય' ને ધ્યાનથી વાંચવુ અને યાદ રાખવુ. આમાં પૃથ્વીરાજ ચૌહાણની કહાની છે અને દિલ્હીની પણ કહાની છે 'હમારે અતીત' પુસ્તકને ભણાવતા સમયે સ્કુલમાં ટીચર્સ લગભગ કંઈક આવી જ વાતો કહીને વાંચવાનુ શરૂ કરે છે. પરંતુ આ ભણાવાયેલો ઈતિહાસ મોટા થયા બાદ પણ યાદ રાખવો ખૂબ મુશ્કેલ છે. આનુ તાજુ ઉદાહરણ પૃથ્વીરાજ ચૌહાણનુ ઐતિહાસિક પાત્ર નિભાવનારા અભિનેતા અક્ષય કુમાર છે.

સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ ફિલ્મના પ્રમોશન દરમિયાન અક્ષય કુમારએ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ, દુર્ભાગ્યથી આપણા ઈતિહાસની પુસ્તકમાં પૃથ્વીરાજ ચૌહાણ વિશે માત્ર બે કે ત્રણ લાઈનો લખેલી છે. આક્રમણ કરનારા વિશે લખેલુ છે , પરંતુ આપણા પોતાના રાજાઓ વિશે બે-બે લાઈન લખેલી છે. આપણા રાજા પણ મહાન હતા. તેમની કહાની સૌ ની સામે લાવો. મને ફિલ્મના ડાયરેક્ટર ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કહાનીઓ સંભળાવી તો મને લાગ્યુ કે પૃથ્વીરાજ ચૌહાણ વિશે એટલી સારી બાબતો છે અને આપણને ખબર નથી. મે તેમને કહ્યુ પણ કે આ બધુ સાચુ છે ને ડોક્ટર સાહેબ, આ બધુ કાલ્પનિક તો નથી ને?

પૃથ્વીરાજ રાસો શુ છે?

ફિલ્મ, ટીવી સિરીયલ, દાદી-નાનીના કિસ્સા કે સગા-વ્હાલાના વ્હોટ્સ એવ ગ્રૂપમાં સંભવત તમે પૃથ્વીરાજ ચૌહાણની જે કહાનીઓ વાંચી કે જોઈ હશે તે કદાચ આ પૃથ્વીરાજ રાસોમાંથી નીકળી છે. પૃથ્વીરાજ રાસો એક મોટી કવિતા છે જેને આદિકાલ એટલે વર્ષ 1000-1400ના સમયની રચના માનવામાં આવે છે. હિંદી સાહિત્યને ચાર ભાગમાં વહેંચવામાં આવે છે. આદિકાલ, ભક્તિકાલ, રીતિકાલ અને આધુનિકકાલ. સાહિત્યના ઈતિહાસના આ વિકાસક્રમમાં શરૂઆતી સમયને આદિકાલ કહેવામાં આવે છે.

સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની કહાની: કવિની કલ્પના કેટલી, હકીકત કેટલી? 2 - image

ક્યારે રચાયુ પૃથ્વીરાજ રાસો

આચાર્ય રામચંદ્ર શુક્લ હિંદી સાહિત્યના ઈતિહાસકાર અને મોટા વિદ્યાન હતા જેમનો જન્મ 1884 અને નિધન 1941માં થયુ હતુ. પોતાના પુસ્તક 'હિંદી સાહિત્ય કા ઈતિહાસ'માં આચાર્ય શુક્લએ લખ્યુ, પૃથ્વીરાજ રાસોમાં આપવામાં આવેલા વર્ષ ઐતિહાસિક તથ્યોની સાથે મેળ ખાતા નથી.

એવામાં પૃથ્વીરાજના સમયમાં આના વિશે સંદેહ છે. અનેક વિદ્વાનોએ આ કારણે પૃથ્વીરાજ રાસોને 16મી શતાબ્દીમાં લખેલો એક નકલી ગ્રંથ ઠેરવ્યો. રાસોમાં ચંગેજ, તૈમૂર જેવા કેટલાક બાદના શાસકોના નામ આવવાથી આ શંકા વધુ મજબૂત થાય છે. 

પૃથ્વીરાજ ચૌહાણનુ સત્ય શુ છે?

સંભવ છે કે તમે એ વિચારી રહ્યા હોય કે જો પૃથ્વીરાજ રાસોની પ્રમાણિકતા પ્રશ્નોના ઘેરાવામાં છે તો પૃથ્વીરાજ ચૌહાણનુ સત્ય શુ છે? મધ્યકાલીન ભારતના એક જાણીતા ઈતિહાસકાર સતીશ ચંદ્ર માનવામાં આવે છે. સતીશ ચંદ્રએ પોતાના પુસ્તક મધ્યકાલીન ભારતમાં પૃથ્વીરાજ ચૌહાણ પર લખ્યુ હતુ.

સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની કહાની: કવિની કલ્પના કેટલી, હકીકત કેટલી? 3 - image

પુસ્તકથી પર દુનિયા

એક પ્રોફેસરના લખાણ મુજબ ઐતિહાસિક પાત્ર પૃથ્વીરાજ ચૌહાણ વિશે જાણવુ ઘણુ મુશ્કેલ છે કેમ કે તે સમયની બાબત ઓછી જ બચી છે અથવા મળી છે. પરંતુ આ તમામ દસ્તાવેજો અથવા પુસ્તકથી દૂર અજમેરના પૃથ્વીરાજ સ્મારકમાં પૃથ્વીરાજ ચૌહાણની મોટી મૂર્તિ છે જેમાં તેમના હાથમાં તીર-ધનુષ છે અને તેઓ ઘોડા પર સવાર નિશાન સાધતા જોવા મળી રહ્યા છે. 

અક્ષય કુમાર ફિલ્મ પ્રમોશનના પોતાના આ ઈન્ટરવ્યુમાં ઈતિહાસના પુસ્તકોને ફરીથી લખવા અને બેલેન્સ કરવાની શિક્ષણ મંત્રીને અપીલ કરે છે. સાથે જ અક્ષય કુમાર એક ઈન્ટરવ્યુમાં ડાયરેક્ટર ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીના ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના 18 વર્ષ સુધી કરેલા હોમવર્કના વખાણ કરે છે. અક્ષય કહે છે, મને તો ઘણા લોકોએ કહ્યુ કે હોમવર્ક ઘણુ કર્યુ હશે. મે કહ્યુ કે હોમવર્ક હુ કેમ કરુ, આની ઉપર જો મે હોમવર્ક કરી દીધુ તો હુ સત્યાનાશ જ કરી દઉં.

ઈતિહાસ અને ઐતિહાસિક નાયકો સાથે જોડાયેલા તથ્યોને લઈને વિવાદ થયા રહે છે પરંતુ જરૂર એ વાતની છે કે ઈતિહાસને ઈતિહાસના અરીસામાં જ જોવામાં આવે ના કે વર્તમાનના માપદંડો અને નેરેટિવના આધારે. મૂર્તિની નીચે ઉભેલા લોકો હાથ જોડીને નમન કરતા જોવા મળે છે. જેમાંથી મોટાભાગના લોકો માટે પૃથ્વીરાજ ચૌહાણની કહાની તે સમગ્ર સાચી છે જે પૃથ્વીરાજ રાસોમાં લખેલી છે અથવા જે અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણમાં જોવા મળી છે. 

અક્ષય કુમાર ફિલ્મ પ્રમોશનના પોતાના આ ઈન્ટરવ્યુમાં ઈતિહાસના પુસ્તકોને ફરીથી લખવા અને બેલેન્સ કરવાની શિક્ષણ મંત્રીને અપીલ કરે છે. સાથે જ અક્ષય કુમાર એક ઈન્ટરવ્યુમાં ડાયરેક્ટર ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીના ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના 18 વર્ષ સુધી કરેલા હોમવર્કના વખાણ કરે છે. અક્ષય કહે છે, મને તો ઘણા લોકોએ કહ્યુ કે હોમવર્ક ઘણુ કર્યુ હશે. મે કહ્યુ કે હોમવર્ક હુ કેમ કરુ, આની ઉપર જો મે હોમવર્ક કરી દીધુ તો હુ સત્યાનાશ જ કરી દઉં.

ઈતિહાસ અને ઐતિહાસિક નાયકો સાથે જોડાયેલા તથ્યોને લઈને વિવાદ થયા રહે છે પરંતુ જરૂર એ વાતની છે કે ઈતિહાસને ઈતિહાસના અરીસામાં જ જોવામાં આવે ના કે વર્તમાનના માપદંડો અને નેરેટિવના આધારે.

Tags :