તો શું પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ કરી લીધી સગાઇ? AAP ના નેતાએ આપી શુભકામનાઓ
નવી દિલ્હી,તા. 28 માર્ચ 2023, મંગળવાર
બોલિવૂડ અને રાજનીતિનો સમન્વય થતો જોવા મળી રહ્યો છે. જયારે આમ આદમીના નેતા રાઘવ ચઠ્ઠા અને બોલીવુડ અભિનેત્રી પરિણીતિ ચોપડા કેટલીક વખત એક સાથે જોવા મળ્યા છે. તેથી બંને વચ્ચે અફેયરની ચર્ચાઓએ વેગ પકડ્યુ છે. ત્યારે હવે એક ટ્વીટે યુઝર્સના મનમાં સવાલો ઉભા કરી દીધા છે કે, શું પરિણીતિ અને રાઘવ ચઢ્ઢાએ સગાઇ કરી લીધી છે?
આમ આદમી પાર્ટીના સાંસદ સંજીવ અરોરાએ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની તસવીરો શેર કરતા ટ્વિટમાં લખ્યું કે, “હું પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તેમના યુનિયનને પ્રેમ, સુખ અને સાથીદારીનો આશીર્વાદ મળે. મારી શુભેચ્છાઓ."
સંજીવ અરોડાના ટ્વીટ બાદ યુઝર્સ આ કપલને સગાઇ માટે શુભકામનાઓ આપતા જોવા મળ્યા હતા. યુઝર્સ કમેન્ટ બોક્સમાં શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. આ પહેલાં આક રિપોર્ટમાં દાવો પણ કરવામાં આવ્યો હતો કે, આ બંનેના પરિવાર વચ્ચે લગ્નને લઇને ચર્ચાઓ પણ થઇ રહી હતી.