રણબીર-કેટરિનાની ફિલ્મ રાજનીતિનો બીજો ભાગ બનશે
મુંબઇ : 'મહાભારત' પરથી પ્રેરણા લઈને તેમાં 'ગોડફાધર' સીરિઝના પ્લોટનું મીશ્રણ કરીને ભારતના આધુનિક રાજકારણના આટાપાટા પર બનાવાયેલી ફિલ્મ 'રાજનીતિ'નો હવે બીજો ભાગ આવી રહ્યો છે. ખુદ ફિલ્મ સર્જક પ્રકાશ ઝાએ આ વાતને સમર્તન આપ્યું છે.
તેમણે કહ્યું છે કે હજુ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ શરુ થયું છે. જોકે, ફિલ્મના મૂળ કલાકારો રીપિટ થશે કે કેમ તે અંગે તેમણે ફોડ પાડયો ન હતો.
'રાજનીતિ' રણબીર કપૂર, કેટરિના કૈફ, અર્જુન રામપાલ, અજય દેવગણ, નાના પાટેકર, મનોજ વાજપેયી સહિતના કલાકારોની મહત્વની ફિલ્મ ગણાય છે. મનોજ વાજપેયીનો આ ફિલ્મનો ડાયલોગ 'કરારા જવાબ મિલેગા' તેનો એક આઇકોનિક ડાયલોગ બની ચૂક્યો છે.