Get The App

રણબીર-કેટરિનાની ફિલ્મ રાજનીતિનો બીજો ભાગ બનશે

Updated: Jun 6th, 2025

GS TEAM


Google News
Google News
રણબીર-કેટરિનાની ફિલ્મ રાજનીતિનો બીજો ભાગ બનશે 1 - image


મુંબઇ : 'મહાભારત' પરથી પ્રેરણા લઈને  તેમાં 'ગોડફાધર' સીરિઝના પ્લોટનું મીશ્રણ કરીને ભારતના આધુનિક રાજકારણના આટાપાટા પર બનાવાયેલી ફિલ્મ 'રાજનીતિ'નો  હવે બીજો ભાગ આવી રહ્યો છે. ખુદ ફિલ્મ સર્જક પ્રકાશ ઝાએ આ  વાતને સમર્તન આપ્યું છે. 

તેમણે કહ્યું છે કે હજુ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ શરુ થયું છે. જોકે, ફિલ્મના મૂળ કલાકારો રીપિટ થશે કે કેમ તે અંગે તેમણે ફોડ પાડયો ન હતો. 

'રાજનીતિ' રણબીર કપૂર, કેટરિના કૈફ, અર્જુન  રામપાલ, અજય દેવગણ, નાના  પાટેકર, મનોજ વાજપેયી સહિતના  કલાકારોની મહત્વની ફિલ્મ ગણાય છે. મનોજ વાજપેયીનો આ ફિલ્મનો ડાયલોગ 'કરારા  જવાબ મિલેગા' તેનો એક આઇકોનિક ડાયલોગ બની ચૂક્યો છે. 

Tags :