Adipurush ફિલ્મ પર ગુસ્સે ભરાયા રામાયણના 'લક્ષ્મણ', કહ્યું આ તો શરમજનક છે
સુનીલ લહિરીની ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા પોસ્ટને લોકો સપોર્ટ કરી રહ્યા છે
ફિલ્મ આદિપુરુષ મહાકાવ્ય રામાયણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે
Image:Instagram |
'આદિપુરુષ' રિલીઝ થયા પછી જાણે ચાહકોનું દિલ તૂટી ગયું હોય તેવું લાગે છે. રામાયણ પર આધારિત આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી પરંતુ રિલીઝ થયા બાદ તે તેના પર ખરી ઉતરી શકી નથી. પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મને ઘણી નકારાત્મક સમીક્ષાઓ મળી રહી છે. ફિલ્મમાં આવા ઘણા સંવાદો છે જેના પર દર્શકોએ ગુસ્સો વ્યક્ત કર્યો છે. ફિલ્મના VFXથી લઈને ડાયલોગ્સ સુધી લોગો આના પર મીમ્સ બનાવીને શેર કરી રહ્યા છે. આ દરમિયાન રામાનંદ સાગર દ્વારા નિર્દેશિત 'રામાયણ'માં લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનીલ લહિરીએ પણ પ્રતિક્રિયા આપતા ફિલ્મના ડાયલોગ પર નારાજગી વ્યક્ત કરી છે.
લક્ષ્મણે શેર કર્યા ડાયલોગના સ્ક્રીનશોટ
રામાયણના લક્ષ્મણ અર્થાત સુનીલ લહિરીએ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મના ડાયલોગના સ્ક્રીનશોટ શેર કર્યા છે. આ પોસ્ટ શેર કરતા તેમણે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. તેમણે આને ખુબ જ શરમજનક ગણાવ્યું છે. તેમણે સ્ક્રીનશોટ શેર કરતા લખ્યું, ' કહેવાય છે કે ફિલ્મ આદિપુરુષ મહાકાવ્ય રામાયણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે જો આ સત્ય છે તો આ પ્રકારની ભાષાનો પ્રયોગ ખુબ જ શરમજનક છે.'
લોકોએ કર્યો સુનીલ લહિરીનો સપોર્ટ
સુનીલ લહિરીની આ પોસ્ટને લોકો સપોર્ટ કરી રહ્યા છે અને જોરદાર જવાબ પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું- 'બોયકોટ આદિપુરુષ', બીજા યુઝરે લખ્યું- 'સુનીલ સર, જો કોઈ ફરી જન્મ લે તો પણ તે રામાનંદ સાગર સાહેબની રામાયણ નહીં બનાવી શકે... તમારું કામ મારા હૃદયમાં વસે છે.' એક અન્ય યુઝરે લખ્યું-'આ ફિલ્મને તરત જ બેન કરાવો.'
ફિલ્મે કરી ધૂમ કમાણી
ફિલ્મ આદિપુરુષે રિલીઝ થયાના પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી છે. આ ફિલ્મે 95 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મની વર્લ્ડ વાઈડ કમાણીના આંકડા પણ સામે આવ્યા છે. આ ફિલ્મે વર્લ્ડ વાઈડ 140 કરોડની કમાણી કરી છે એવું કહેવામાં આવી રહ્યું છે. ફિલ્મને નેગેટિવ રિવ્યુ મળી રહ્યા છે અને આ વિવાદો વચ્ચે ફિલ્મે પહેલા દિવસ ધૂમ કમાણી કરી છે.