mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

પ્રિયંકા ચોપરા પરિણીતીના લગ્નમાં હાજરી નહિ આપી શકે

Updated: Sep 24th, 2023

પ્રિયંકા ચોપરા પરિણીતીના લગ્નમાં હાજરી નહિ આપી શકે 1 - image


મનોરંજન ઉદ્યોગ રવિવારે ૨૪ સપ્ટેમ્બરે બોલીવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને રાજકારણી રાઘવ ચઢ્ઢાના ભવ્ય લગ્નનો સાક્ષી બનશે. તેમના લગ્નસ્થળ ઉદયપુર ખાતે તમામ આમંત્રિતોનું પણ આવવાનું શરૂ થઈ ગયું છે. પણ આ તમામ વચ્ચે બોલીવૂડના ફેન્સને નિરુત્સાહ કરતો અહેવાલ આવ્યો છે કે પરિણીતીની કઝિન અને બોલીવૂડ આઈકન પ્રિયંકા ચોપરા આ લગ્નમાં કદાચ હાજરી નહિ આપી શકે.

અહેવાલ અનુસાર દેશી ગર્લ ૨૩ સપ્ટેમ્બરે ભારત આવવાની હતી. પણ હવે વર્ક કમિટમેન્ટ્સને કારણે પ્રિયંકાનું ભારત આવવું શક્ય નથી બનવાનું. જો કે આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. એક અન્ય અહેવાલ મુજબ નિક જોનાસના ભાઈ જો જોનાસના તેની પત્ની સોફી ટર્નર સાથે ચાલી રહેલા છૂટાછેડાના વિખવાદને કારણે પણ પ્રિયંકા લગ્નમાં સામેલ નથી થઈ રહી. માનવામાં આવે છે કે સોફી ટર્નરે જો પર કેટલાક કેસ કરીને આ પરિવારની મુશ્કેલી વધારી નાખી છે જેના કારણે પ્રિયંકા ભારત નહિ આવી શકે.

પ્રિયંકાએ પોતાના સોશિયલ મીડિયા પર પરિણીતી અને રાઘવ માટે એક પોસ્ટ કરી છે. પોતાની બહેનનો ફોટો પોસ્ટ કરતા તેણે લખ્યું છે - મને આશા છે કે તું અત્યંત ખુશ અને સંતુષ્ટ હશે. મારી પ્રાર્થના છે કે તને ખૂબ પ્રેમ મળે.

પ્રિયંકાની આ પોસ્ટથી પણ મીડિયા અને તેના ફેન્સને તેના ગેરહાજર રહેવાનો સંકેત મળ્યો છે.

Gujarat