જાણીતા એડ ગુરુ પીયૂષ પાંડેનું નિધન, 'અબ કી બાર મોદી સરકાર'નું સૂત્ર એમણે જ આપ્યું હતું

Piyush Pandey Death: દેશના પ્રચલિત એડ ગુરૂ પીયુષ પાંડેયનું નિધન થયુ છે. તેમણે વિજ્ઞાપનની દુનિયામાં નવા રંગ ભર્યા હતાં. તેમની અનેક ઝુંબેશ અત્યંત ચર્ચિત રહી હતી. ઘર-ઘરમાં બ્રાન્ડ્સની ઓળખ બનાવી હતી. એશિયન પેઈન્ટ્સનું સ્લોગન પણ તેમણે જ લખ્યું હતું કે, 'હર ખુશી મેં રંગ લાયે'. તદુપરાંત કેડબરીનું સ્લોગન 'કુછ ખાસ હૈ' પણ તેમની જ કલમમાંથી નીકળેલું હતું.
લાંબા સમય સુધી ભારતની વિવિધતામાં એકતા દર્શાવતું ગીત 'મિલે સુર મેરા તુમ્હારા'ના લેખક પણ તે જ હતાં. આ ગીત પણ દુરદર્શનનું થીમ ગીત બન્યું હતું. ઈન્ટરનેટનો પ્રચાર થવા પર લોકો યૂટ્યૂબ વગેરે પર તેમનું આ ગીત અવારનવાર સાંભળતા હતાં. તેમણે ફેવિકોલ, હચ જેવી કંપનીઓ માટે અનેક સફળ એડ કેમ્પેઈમાં લીડ કર્યું હતું.
Saddened to hear of the passing of Shri Piyush Pandey.A titan and legend of Indian advertising, he transformed communication by bringing everyday idioms, earthy humor, and genuine warmth into it.Have had opportunities to interact with him on various occasions.Heartfelt… pic.twitter.com/tytshG1aHK— Nirmala Sitharaman (@nsitharaman) October 24, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના પ્રચારનો નારો પણ તેમણે જ આપ્યો હતો. તેમણે સુત્ર આપ્યું હતું- અબકી બાર, મોદી સરકાર. પીયુષ પાંડે ભારતની એડવર્ટાઈઝ ઈન્ડસ્ટ્રીમાં મોટા ફેરફારો પણ જાણીતા છે. તેમણે પ્રચલિત એડ કંપની ઓગિલ્વી ઈન્ડિયા સાથે આશરે ચાર દાયકા સુધી કામ કર્યું હતું. આ કંપની દેશમાં એડવર્ટાઈઝમેન્ટની દુનિયાનો પર્યાય બની રહી છે. તેમાં મહત્ત્વની ભૂમિકા પિયુષ પાંડેની રહી છે. તેમના નિધનથી વિજ્ઞાપનની દુનિયાનો એક યુગ સમાપ્ત થઈ ગયો છે.

