જાણો કાર્તિક આર્યન સાથેના પોતાના રિલેશનને લઈને કૃતિ સેનને શું કહ્યું....
- કૃતિ સેનન ટૂંક સમયમાં 'શહજાદા', 'ગળપથ', 'ભેડિયા' અને 'આદિપુરુષ'માં નજર આવશે
મુંબઈ, તા. 05 મે 2022, ગુરૂવાર
બોલીવુડના સ્ટાર્સમાં હાલમાં કોણ કોની સાથે ફરી રહ્યું છે અને કોણ કોની સાથે રિલેશનમાં છે એ જાણવા માટે બોલીવુડ લવર આતુર રહેતા હોય છે. જો કોઈ બે સ્ટાર્સને લોકોએ બે-ચાર વાર સાથે જોઈ લીધા હોય તો અફેરની વાતો બનાવવાનું શરૂ કરી દે છે. છેલ્લા દિવસોમાં એક્ટ્રેસ કૃતિ સેનન (Kriti Sanon) અને કાર્તિક આર્યન (Kartik Aaryan)ના લવ અફેરને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. પરંતુ શું ખરેખર બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે..
કૃતિ સેનન અને કાર્તિક આર્યન બંને સારા મિત્રો છે અને સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ કરતા રહે છે. હાલમાં બંનેના લિન્ક-અપની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે એક્ટ્રેસે હવે તેમના રિલેશનને લઈને ખુલાસો કર્યો છે.
તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં કૃતિએ કહ્યું કે, આ અફવાને લઈને લોકોને કંઈ પણ બોલવા કે સાંભળવા પહેલા સચ્ચાઈ જાણી લેવી જોઈએ. એક્ટ્રેસે આગળ કહ્યું કે, મને નથી ખબર કે સોશિયલ મીડિયા અમારા માટે સારું છે કે, ખરાબ કારણ કે લોકો તેના પર ઘણી વાતો કરતા હોય છે.
કૃતિ સેનને સ્પષ્ટ કર્યું કે, જો તમે મને નાની-નાની અફવાઓ વિશે તો તે મને બિલકુલ પરેશાન નથી કરતી. તમે લોકો જે અનુભવો છો, હું ઈચ્છું છું કે, મારું જીવન તેટલું જ રસપ્રદ હોત જેટલું તમને લાગી રહ્યું છે.
કૃતિએ એ વાત પર પણ સહમતિ વ્યક્ત કરી કે, એક સેલિબ્રિટી હોવાને કારણે સતત ચર્ચામાં રહેવું એ તેના કામનો એક ભાગ છે.
જોકે, તેમણે એ પણ કહ્યું કે, એવી વસ્તુઓ છે જે તેને પરેશાન કરે છે. કેટલીકવાર તમારા વિશે લખવામાં આવે છે અને પછી તમે તેના વિશે જે પણ બોલો છો તેને લોકો તપાસવા લાગે છે.
એક્ટ્રેસે કહ્યું કે, સારી વાત એ છે કે, મારા વિશે જે કંઈ પણ લખવામાં આવે છે તે જલ્દી હટી પણ જાય છે કારણ કે, લોકોની યાદશક્તિ ઘણી ઓછી છે. જેમ સક્સેસ અને ફેલ હોવું હંમેશા એક જેવું નથી હોતું.
કૃતિ સેનનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં શહજાદા, ગળપથ, ભેડિયા અને આદિપુરુષમાં નજર આવશે. છેલ્લી વખત તે ફિલ્મ 'બચ્ચન પાંડે'માં અક્ષય કુમાર અને અરશદ વારસી સાથે નજર આવી હતી.