કેસરી ટૂની રીલિઝ પહેલાં જ કેસરી થ્રીની પણ જાહેરાત
- કેસરી ફ્રેન્ચાઈઝીને આગળ વધારવા નિર્ણય
- અફઘાનોને હરાવનારા જનરલ હરિસિંહ નલવાના જીવન પર આધારિત હશે
મુંબઇ : અક્ષય કુમારની 'કેસરી ટૂ' આ મહિને રીલિઝ થવાની છે પરંતુ તેની સાથે સાથે જ હવે 'કેસરી થ્રી'ની પણ ઘોષણા કરી દેવામાં આવી છે. આ ફિલ્મ મહારાજા રણજિત સિંહની સેનાના કમાન્ડર જનરલ હરિ સિંહના જીવન પર આધારિત હશે.
હરિસિંહ નલવાએ કાશ્મીરઅને પેશાવરના ગર્વનર તરીકે કાર્ય કર્યું હતુ અને અફઘાનોને હરાવી લોકપ્રિયતા હાંસિલ કરી હતી. એટલું જ નહીં તેમણે પંજાબર પર અફઘાન હુમલાઓને રોકવામાં મહત્વપૂણ ભૂમિકા નિભાવી હતી.
અક્ષય કુમારે 'કેસરી ટૂ'ના ટ્રેલર લોન્ચ દરમિયાન જ જણાવ્યું હતું કે, હવે અમે 'કેસરી થ્રી' પ્લાન કરી રહ્યા છીએ.
અક્ષય કુમારની મૂળ 'કેસરી' ફિલ્મમાં સારાગઢીમાં થયેલા યુદ્ધની વાર્તા દર્શાવામાં આવી હતી. જેમાં અક્ષયે વીર બહાદુર હવાલદાર ઇર્શ સિંનો રોલ ભજવ્યો હતો. 'કેસરી ટૂ'માં અક્ષય કુમાર વકીલ સી. શંકરન નાયરની ભૂમિકામાં છે.