કાજોલની સરઝમીન ફિલ્મ સીધી ઓટીટી પર રીલિઝ થશે
- ફિલ્મ બહુ સારી ન બનતાં ઓટીટીને પધરાવાઈ
- ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન અને ઈબ્રાહિમ અલી ખાન સહિતના કલાકારો
મુંબઇ : કાજોલ, પૃથ્વીરાજ સુકુમાર અને ઈબ્રાહિમ અલી ખાનની ફિલ્મ 'સરઝમીન' સીધી ઓટીટી પર રજૂ થવાની છે.
આ ફિલ્મ શરુ કરાઈ ત્યારે તે થિયેટરમાં રીલિઝ કરાશે તેવી ચર્ચા હતી. તે મે ૨૦૨૫માં થિયેટરમાં આવશે તેવી અટકળો હતી.
જોકે, નિર્માતા કરણ જોહરે આ ફિલ્મ હવે ઓટીટીને પધરાવી દીધી છે. આ ફિલ્મનું ટીઝર રીલિઝ કરાતાં કેટલાય લોકોએ ટીકા કરી હતી કે ફિલ્મ બહુ સારી નહિ બની હોય એટલે જ સીધી ઓટીટીને વેચી દેવાઈ છે. બાકી કાજોલ અને પૃથ્વીરાજ સુકુમારન જેવા કલાકારોની અને તે પણ કાશ્મીર હિંસા પરની ફિલ્મ થિયેટરમાં રીલિઝ થઈ શકી હોત.
ઈબ્રાહિમ અલી ખાનની આ બીજી ફિલ્મ સીધી ઓટીટી પર આવશે. અગાઉ તેની 'નાદાનિયાં' પણ ઓટીટી પર રીલિઝ થઈ હતી અને તેમાં તેની વાહિયાત એક્ટિંગની આકરી ટીકાઓ થઈ હતી.