Get The App

‘હેરા ફેરી 3’માં પરેશ રાવલની થશે વાપસી? જાણો જૉની લીવરે સમાધાન માટે શું આપી સલાહ

Updated: May 30th, 2025

GS TEAM


Google News
Google News
Johny Lever On Hera Pheri 3


Johny Lever On Hera Pheri 3: બોલિવૂડની કોમેડી ફ્રેન્ચાઇઝ ફિલ્મ 'હેરા ફેરી 3' ઘણાં સમયથી સમાચારમાં છે. આ ફિલ્મની ત્રિપુટી, રાજુ, શ્યામ અને બાબુ ભૈયા, દરેક ઘરમાં પ્રખ્યાત છે. આમાંથી બાબુ ભૈયા એટલે કે પરેશ રાવલની ફિલ્મ છોડી દેવાથી ચાહકોના દિલ તૂટી ગયા છે. આ દરમિયાન, કોમેડી એક્ટર જૉની લીવરે 'હેરા ફેરી 3' માંથી બહાર નીકળવા અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. આ સાથે, તેમણે પરેશ રાવલને એક ખાસ સલાહ આપી છે.

જૉની લીવરે સલાહ આપી

એક ઈન્ટરવ્યૂમાં જૉની લીવરે પરેશ રાવલને તેના હેરા ફેરી 3માં કામ ના કરવાના નિર્ણય પર ફરી વિચાર કરવાની સલાહ આપી. અને ફિલ્મમાં પાછા ફરવાની વાત કરતા કહ્યું કે, 'મને લાગે છે કે પરેશ જી ફિલ્મમાં હોવા જોઈએ. આપણે બેસીને વાત કરવી જોઈએ. મામલો ગમે તે હોય, તેનો ઉકેલ લાવવો જોઈએ. ફેન્સ ફિલ્મમાં પરેશ જીને ખૂબ જ મિસ કરશે.'

જૉની લીવરે આગળ કહ્યું, 'પરેશ જી વગર ફિલ્મ મજા નહીં આવે. તેથી, વાત કરીને મામલો ઉકેલવો જોઈએ, મારા મતે આ યોગ્ય વાત છે.' જ્યારે જૉની લીવરને પૂછવામાં આવ્યું કે શું તેઓ 'હેરા ફેરી 3'નો ભાગ છે? આ મુદ્દે તેમણે હસીને કહ્યું, 'મને હેરા ફેરીની ધમકી પહેલા જ મળી ચૂકી છે કે, તમને આ માટે બુક કરવામાં આવ્યા છે.' 

આ પણ વાંચો: કેજીએફના સર્જકોની આગામી ફિલ્મમાં હૃતિક રોશન દેખાશે

પરેશ રાવલે ફિલ્મ કેમ છોડી દીધી?

પરેશ રાવલના વકીલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'અમારા ક્લાયન્ટ માટે સ્ટોરી, સ્ક્રીન પ્લે અને એગ્રીમેન્ટનો એક ડ્રાફ્ટ જરૂરી છે, જે નિર્માતા દ્વારા મોકલવામાં આવ્યો નથી, આથી પરેશ રાવલે ફિલ્મ ન કરવાનો નિર્ણય લીધો.' 

‘હેરા ફેરી 3’માં પરેશ રાવલની થશે વાપસી? જાણો જૉની લીવરે સમાધાન માટે શું આપી સલાહ 2 - image

Tags :