Get The App

જાહ્નવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ટુ બંધ નથી થઈ

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
જાહ્નવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ટુ બંધ નથી થઈ 1 - image

- પહેલો ભાગ ફલોપ ગયો હતો 

- લાંબા સમયથી દેવરા ટુ માટે કોઈ હિલચાલ ન હતી, હવે નિર્માતા દ્વારા જાહેરાત

મુંબઇ : જુનિયર એનટીઆર અને જાહ્નવી કપૂરની ફિલ્મ 'દેવરા'નો બીજો ભાગ બનશે તેવું તેના નિર્માતાએ કન્ફર્મ કર્યું છે. 

આ ફિલ્મ  બે ભાગમાં  રીલિઝ કરાશે તેવી જાહેરાત કરાઈ હતી. જોકે,  ફિલ્મ 'દેવરા ૨૦૨૪' રીલિઝ થયા બાદ ફલોપ થઈ હતી. તે પછીે તેના બીજા ભાગ વિશે કોઇ જ આવ્યું ન હતું. આથી 'દેવરા પાર્ટ ટ'ુ ડબ્બામાં બંધ થઇ ગઈ હોવાની અટકળો ચાલી હતી. પરંતુ હવે ફિલ્મસર્જકે સ્પષ્ટતા કરી છે કે,' દેવરા પાર્ટ ટુ 'ચોક્કસ બનશે. ૨૦૨૭માં આ ફિલ્મ પર કામ શરુ થશે. 

'દેવરા' ફિલ્મ એક સમુદ્રી ડાકુ પર આધારિત હતી. આ ફિલ્મમાં જુનિયરએનટીઆર ડબલ  રોલમાં હતો. અને સૈફઅલી ખાનની પણ મહત્વની ભૂમિકા હતી. ફિલ્મમાં જાહ્નવીનું સોંગ વાયરલ થયું હતું. જોકે, ફિલ્મ બહુ નબળી બની હોવાની ટીકા થઈ હતી.