હર્ષવર્ધન રાણેએ સનમ તેરી કસમ ટુમાં કામ કરવાનો ઇન્કાર કર્યો
- ભારત-પાકિસ્તાન વચ્ચેની તાણ વધતા જવાથી પાકિસ્તાની અભિનેત્રી સાથે કામ કરવા તૈયાર નહીં
મુંબઇ : હર્ષવર્ધન રાણેની લીડ રોલની સનમ તેરી કસમ હાલમાં ફરી રિલીઝ થઇ હતી જે બોક્સ ઓફિસ પર સફળ થઇ હતી. દર્શકોને અભિનેતાનો અભિનય પસંદ પડયો હતો. આ પછી સનમ તેરી કસમ ટુની તૈયારી થઇ રહી છે. તેવામાં અભિનેતાએ આ ફિલ્મમાં કામ કરવાનો ઇન્કાર કર્યો છે. મૂળ ફિલ્મમાં તેની સાથે પાકિસ્તાની અભિનેત્રી માવરા હોકોન્સની જોડી બની હતી.જો હવે આગામી ફિલ્મમાં પણ આ જ સ્ટારકાસ્ટ રહેવાની હોય તો તેણે કામ કરવાનો ઇન્કાર કરી દીધો છે. ભારત-પાકિસ્તાન વચ્ચે વધતી જતી તાણને જોઇને તેણે પાકિસ્તાની અભિનેત્રી સાથે કામ ન કરવાનો નિર્ણય કર્યો છે. પરિણામે તેણે આ ફિલ્મમાંથી નીકળી જવાનો ફેંસલો કર્યો છે.
અભિનેતાએ શનિવારે જણાવ્યુ ંહતું કે, સનમ તેરી કસમ ફિલ્મ રિ-રિલીઝમાં મારા અભિનયને વખાણવામાં આવ્યો હતો તેનાથી મને આનંદની સાથેસાથે ગર્વ પણ થયો છે. જો મૂળ ફિલ્મની અભિનેત્રી ફરી મારી ઓપોઝિટ રહેવાની હોય તો મને આ ફિલ્મમાં કામ કરવામાં રસ નથી.તેથી હાલની ભારત-પાકિસ્તાના સંઘર્ષને લઇને મેં સનમ તેરી કસમ ટુમાં કામ નહીં કરવાનો નિર્ણય લીધો છે.
ભારત-પાકિસ્તાન વચ્ચેના ટેન્શનના કારણે ભૂલ ચુક માફ. વેરી પારિવારિક, અબીર ગુલાલ ફિલ્મો પર પણ ગંભીર અસર થઇ છે.