Get The App

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને ઝટકો, હાઈકોર્ટે ફગાવી ફરિયાદ રદ કરવાની અરજી

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને ઝટકો, હાઈકોર્ટે ફગાવી ફરિયાદ રદ કરવાની અરજી 1 - image

Money Laundering Case: 200 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝને રાહત મળી નથી. દિલ્હી હાઈકોર્ટ તરફથી આ મામલે તેમને ઝટકો લાગ્યો છે. જેકલીન વિરુદ્ધ ફરિયાદ રદ કરવાની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે.

અરજીમાં કરાઈ હતી આ માગ

દિલ્હી હાઈકોર્ટે આજે (3 જુલાઈ) બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝની આ અરજીને ફગાવી દીધી, જેમાં તેમણે કથિત રીતે ઠગ સુકેશ ચંદ્રશેખરથી જોડાયેલી 200 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં પોતાના વિરુદ્ધ દાખલ ફરિયાદને રદ કરવાની માગ કરી હતી. જસ્ટિસ અનીશ દયાલે જેકલીનની અરજી ફગાવી દીધી છે. દાખલ અરજીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની બીજી પૂરક ચાર્જશીટ અને દિલ્હીની નીચલી કોર્ટમાં પેન્ડિંગ કાર્યવાહી રદ કરવાની માગ કરવામાં આવી હતી.

ઈડીની સામે રજૂ થઈ જેકલીન

ઈડીના વકીલે અરજીનો વિરોધ કરતા કહ્યું કે, સ્પેશિયલ કોર્ટે ફરિયાદી પક્ષની ફરિયાદનું સંજ્ઞાન લીધું છે અને પ્રથમ દ્રષ્ટિએ કેસ માનવામાં આવ્યો છે. વકીલે કહ્યું કે, સંજ્ઞાન આદેશને પડકારવામાં નથી આવ્યો. ફર્નાન્ડીઝ ઠગ સુકેશ ચંદ્રશેખર વિરૂદ્ધ દાખલ મની લોન્ડ્રિંગ કેસમાં આરોપી છે અને તપાસમાં પૂછપરછ માટે ઈડી સમક્ષ રજૂ થઈ હતી.

શું છે ઠગ સુકેશ પર આરોપ?

દિલ્હી પોલીસે ચંદ્રશેખર પર રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિંદર સિંહ અને માલવિંદર સિંહથી 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો મામલો નોંધાયો હતો. દેશભરમાં અનેક કેસોમાં તેમના વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. ચંદ્રશેખર અને તેની પત્ની લીના પોલોજને ઈડીના મની લોન્ડ્રિંગ કેસમાં કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમની દિલ્હી પોલીસને અન્ય લોકો સાથે ધરપકડ કરી છે. પોલીસે કેસમાં મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) લગાવ્યો છે. લીના પોલોજ અને ચંદ્રશેખર પર આરોપ છે કે તેમણે હવાલા અને ગુનાથી મની લોન્ડરિંગ કરવા માટે અન્ય આરોપીઓ સાથે મળીને શેલ કંપનીઓ બનાવી.