Get The App

અવળો ટ્રેન્ડ : અક્ષય ખન્નાની ઓટીટી પર આવી ચૂકેલી ફિલ્મ હવે થિયેટરમાં

Updated: Jun 21st, 2025

GS TEAM

Google News
Google News
અવળો ટ્રેન્ડ : અક્ષય ખન્નાની ઓટીટી પર આવી ચૂકેલી ફિલ્મ હવે થિયેટરમાં 1 - image


- અક્ષરધામ હુમલા પર આ  ફિલ્મ બની છે

- થિયેટર રીલિઝ માટે ફિલ્મના ટાઈટલમાં ફેરફાર કરવામાં આવશે

મુંબઇ : સામાન્ય રીતે મોટાભાગની ફિલ્મો પહેલાં થિયેટરમાં રજૂ થાય છે અને ત્યારબાદ તે ઓટીટી પર આવતી હોય છે. પરંતુ, અક્ષય -ખન્નાની અગાઉ ઓટીટી પર રજૂ થયેલી એક ફિલ્મ હવે થિયેટરોમાં રીલિઝ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. 

'સ્ટેટ ઓફ સીજ:ટેમ્પલ એટેક' નામની આ  ફિલ્મ ચાર વર્ષ પહેલાં ઓટીટી પર રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મ ગુજરાતના ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર પર થયેલા હુમલા પર આધારિત છે.  હવે  ટૂંક સમયમાં આ ફિલ્મ થિયેટરના મોટા પડદે રીલિઝ કરાશે. તે માટે તેનુું ટાઈટલ બદલીને 'અક્ષરધામ ઓપરેશન  વજ્રશક્તિ કરવામાં આવ્યું છે.  આ ફિલ્મનું  દિગ્દર્શન કેન ઘોષે કર્યું હતું. 

૨૦૨૧માં કોરોના કાળમાં આ ફિલ્મ ઓટીટી પર રીલિઝ કરી દેવાઈ હતી. ત્યારે દેશના ઘણા ભાગોમાં થિયેટર બંધ હતાં. બીજી તરફ 'છાવા' ફિલ્મની સફળતા બાદ અક્ષય કુમારની કમર્શિઅલ વેલ્યૂ વધી છે. આ બાબતને ધ્યાને રાખીને પણ ફિલ્મ ફરી થિયેટરમાં રીલિઝ કરવામાં આવી રહી હોય તે શક્ય છે. 

Tags :