અવળો ટ્રેન્ડ : અક્ષય ખન્નાની ઓટીટી પર આવી ચૂકેલી ફિલ્મ હવે થિયેટરમાં
- અક્ષરધામ હુમલા પર આ ફિલ્મ બની છે
- થિયેટર રીલિઝ માટે ફિલ્મના ટાઈટલમાં ફેરફાર કરવામાં આવશે
મુંબઇ : સામાન્ય રીતે મોટાભાગની ફિલ્મો પહેલાં થિયેટરમાં રજૂ થાય છે અને ત્યારબાદ તે ઓટીટી પર આવતી હોય છે. પરંતુ, અક્ષય -ખન્નાની અગાઉ ઓટીટી પર રજૂ થયેલી એક ફિલ્મ હવે થિયેટરોમાં રીલિઝ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.
'સ્ટેટ ઓફ સીજ:ટેમ્પલ એટેક' નામની આ ફિલ્મ ચાર વર્ષ પહેલાં ઓટીટી પર રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મ ગુજરાતના ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર પર થયેલા હુમલા પર આધારિત છે. હવે ટૂંક સમયમાં આ ફિલ્મ થિયેટરના મોટા પડદે રીલિઝ કરાશે. તે માટે તેનુું ટાઈટલ બદલીને 'અક્ષરધામ ઓપરેશન વજ્રશક્તિ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન કેન ઘોષે કર્યું હતું.
૨૦૨૧માં કોરોના કાળમાં આ ફિલ્મ ઓટીટી પર રીલિઝ કરી દેવાઈ હતી. ત્યારે દેશના ઘણા ભાગોમાં થિયેટર બંધ હતાં. બીજી તરફ 'છાવા' ફિલ્મની સફળતા બાદ અક્ષય કુમારની કમર્શિઅલ વેલ્યૂ વધી છે. આ બાબતને ધ્યાને રાખીને પણ ફિલ્મ ફરી થિયેટરમાં રીલિઝ કરવામાં આવી રહી હોય તે શક્ય છે.