ફવાદ, માહિરા ખાન સહિતના કલાકારોના બહિષ્કારનું એલાન
- ઓપરેશન સિંદૂર વિરોધી પોસ્ટ કરી હતી
- આ કલાકારો સાથે કોઈ ગ્લોબલ પ્રોજેક્ટ પણ સાઈન નહિ કરવા નિર્માતા-કલાકારોને ચેતવણી
મુંબઇ : ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશને પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અને માહિરા ખાનના બહિષ્કારનું એલાન આપ્યું છે. આ કલાકારોએ ભારતના ઓપરેશન સિંદુરની નિંદા કરતી સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી હતી.
એસોસિએશને ભારતીય કલાકારો તથા નિર્માતાઓને માત્ર ભારત જ નહિ પરંતુ વિશ્વમાં ક્યાંય પણ આ કલાકારો સાથે કોઈ પ્રકારના પ્રોજેક્ટમાં સામેલ નહિ થવા કે તેમને સામેલ નહિ કરવા ચેતવણી આપી છે.
ઉલ્લેખનીય છે કે આ કલાકારો પર અગાઉ પુલવામા એટેક બાદ પણ ભારતમાં ફિલ્મોમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકાયો હતો. જોકે, બાદમાં અદાલતના ચુકાદાને પગલે આ પ્રતિબંધ ઉઠાવી લેવાયો હતો.