mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

સુબ્રતોની બાયોપિક માટે અનિલની પસંદગી

Updated: Nov 19th, 2023

સુબ્રતોની બાયોપિક માટે અનિલની પસંદગી 1 - image


મુંબઈ: સુબ્રતો રોયની જિંદગી પર આધારિત 'સહારાશ્રી' ફિલ્મ બનાવવાની જાહેરાત અગાઉ જ થઈ ચૂકી હતી. કલાકારો વિશે જાહેરાત હજુ બાકી છે. જોકે, એમ કહેવાય છે કે  ફિલ્મમાં અનિલ કપૂર મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોના કહેવા અનુસાર આ રોલ માટે આજની તારીખે અનિલ કપૂર જ સૌથી પરફેક્ટ કલાકાર છે. ફિલ્મમાં સહારા ગૂ્રપને વિસ્તારવમાં  સુબ્રતો રોયના સંઘર્ષ ઉપરાંત ગૂ્રપ સાથે જોડાયેલા વિવાદનો પણ સમાવેશ કરવામાં આવશે. આ અગાઉ 'દિલ ધડકને દો' ફિલ્મમાં પણ અનિલ કપૂરે દેવાંમાં ફસાયેલા એક મોટા કોર્પોરેટ ગૃહના માલિકની ભૂમિકા ભજવી હતી. 

Gujarat