Get The App

એલ્વિશ યાદવ અને અંજલિ અરોરાના ગરબા ઈવેન્ટને લઈને વિવાદ, ધાર્મિક સંગઠનોએ કહ્યું- 'અશ્લીલતા ફેલાવનારાઓની જરૂર નથી'

Updated: Sep 27th, 2025

GS TEAM

Google News
Google News
Elvish Yadav

Protest against Elvish Yadav and Anjali Arora Garba Event: છત્તીસગઢના અંબિકાપુર શહેરમાં 27 અને 28 સપ્ટેમ્બરના રોજ નવરાત્રિના પ્રસંગે એક ખાનગી હોટેલમાં આયોજિત ગરબા મહોત્સવને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. આ કાર્યક્રમમાં યુટ્યુબર એલ્વિશ યાદવ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અંજલિ અરોરાને બોલાવવામાં આવ્યા છે, જેનો હિન્દુ સંગઠનોએ કડક વિરોધ શરૂ કરી દીધો છે. સંગઠનોએ આ બંને કલાકારોને વિવાદિત ગણાવીને તેમના પોસ્ટરો સળગાવ્યા અને કાર્યક્રમ રદ કરવાની માગણી કરી. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ સમજાવટ આપી રહી છે.

એલ્વિશ અને અંજલિના પોસ્ટરો સળગાવીને વિરોધ પ્રદર્શિત કર્યો

સર્વ સનાતન રક્ષા વાહિની અને સર્વ હિન્દુ સમાજ સંગઠન જેવા હિન્દુ સંગઠનોનું કહેવું છે કે આ બંને કલાકારો સોશિયલ મીડિયા પર અશ્લીલતા ફેલાવે છે અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા નવરાત્રિ જેવા પવિત્ર આયોજનમાં તેમની હાજરી યોગ્ય નથી. સંગઠનોએ સરગુજાના કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપીને આ આયોજન પર રોક લગાવવાની માગણી કરી છે. આ સાથે જ, તેમણે એલ્વિશ અને અંજલિના પોસ્ટરો સળગાવીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો.

ધાર્મિક આયોજનમાં કમર્શિયલ એન્ટ્રીનો વિરોધ

એલ્વિશ યાદવ 27 સપ્ટેમ્બરના રોજ હોટેલ પર્પલ આર્કિડમાં અને અંજલિ અરોરા 28 સપ્ટેમ્બરના રોજ સરગવાં પેલેસમાં કાર્યક્રમમાં ભાગ લેવાના હતા. આયોજન સમિતિએ પાસની કિંમત 800 રૂપિયાથી 25,000 રૂપિયા સુધી રાખી છે અને કલાકારો સાથે ફોટોગ્રાફ માટે 11,000 રૂપિયાનો અલગ ચાર્જ નક્કી કર્યો છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ એલ્વિશને 17 લાખ અને અંજલિને 10 લાખ રૂપિયાની ફી ચૂકવવામાં આવી છે. પરંતુ હિન્દુ સંગઠનોનું કહેવું છે કે આવા કલાકારોનું ધાર્મિક આયોજનમાં કોઈ સ્થાન ન હોવું જોઈએ.

આ પણ વાંચો: સોહમ શાહને લોટરી લાગી, તુમ્બાડ ટુનું અધધ 150 કરોડનું બજેટ

ડાંડિયા વિવાદ પર પોલીસની દખલગીરી અને લોકોના મંતવ્યો

પોલીસે પરિસ્થિતિને સંભાળવા માટે સ્થળ પર પહોંચીને આયોજકો અને પ્રદર્શનકારીઓને સમજાવવાના પ્રયાસો કર્યા. તેમજ આ વિવાદના કારણે આયોજનની તૈયારીઓ પર શંકા ઊભી થઈ છે. આ મામલો હવે સ્થાનિક લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક લોકો સંગઠનોના વિરોધનું સમર્થન કરી રહ્યા છે, જ્યારે કેટલાક માને છે કે આ વ્યક્તિગત સ્વતંત્રતાનો મામલો છે. પોલીસે શાંતિ જાળવવાની અપીલ કરી છે અને તપાસ શરૂ કરી છે.

એલ્વિશ યાદવ અને અંજલિ અરોરાના ગરબા ઈવેન્ટને લઈને વિવાદ, ધાર્મિક સંગઠનોએ કહ્યું- 'અશ્લીલતા ફેલાવનારાઓની જરૂર નથી' 2 - image