અમદાવાદ પ્લેન ક્રેશ | બોલિવૂડમાં શોકની લાગણી, અક્ષય કુમાર, રિતેશ દેશમુખ સહિત એક્ટર્સે વ્યક્ત કર્યું દુ:ખ
Ahmedabad Plane Crash: ગુજરાતના અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયા પ્લેન ક્રેશથી આખો દેશ હચમચી ઉઠ્યો છે. આ વિમાનમાં 230 યાત્રીઓ અને 12 ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરનારું આ વિમાન ટેક ઓફ બાદ તાત્કાલિક દુર્ઘટનાનો શિકાર બન્યુ હતું. ક્રેશ સાઈડ પરથી કાળો ધુમાડો ઉડતો દેખાઈ રહ્યો છે. આ એક ઈન્ટરનેશનલ એરક્રાફ્ટ હતું. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ દુર્ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં વિમાન ટેકઓફ થયા પછી તરત જ નીચે ઉતરતું જોઈ શકાય છે. વિમાન નીચે જતાં જ જોરદાર ક્રેશનો અવાજ આવે છે અને આકાશ તરફ ગાઢ ધુમાડો ઉડવા લાગે છે, જેનાથી અફરા-તફરી મચી ગઈ છે. દેશભરમાં આ દુર્ઘટના પર શોકનો માહોલ છે. સોશિયલ મીડિયા પર યુઝર્સની સાથે બોલિવૂડ અને ટીવી સ્ટાર્સે પણ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
બોલિવૂડ સ્ટાર્સે દુ:ખ વ્યક્ત કર્યું
બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે X પર પોસ્ટ કરીને લખ્યું કે, 'એર ઈન્ડિયા ક્રેશથી હું આઘાતમાં છું અને નિ:શબ્દ છું. આ સમયે આપણે માત્ર પ્રાર્થના કરી શકીએ છીએ.'
અભિનેતા રિતેશ દેશમુખે X પર લખ્યું કે, 'અમદાવાદમાં પ્લેન ક્રેશના સમાચાર સાંભળીને મારું હૃદય તૂટી ગયું છે અને હું આઘાતમાં છું. મારું હૃદય તમામ યાત્રીઓ માટે, તેમના પરિવાર અને ક્રેશથી અસરગ્રસ્ત થયેલા તમામ લોકો માટે દુ:ખી છે. આ મુશ્કેલ સમયમાં હું તમામને મારા વિચારો અને પ્રાર્થનામાં રાખું છું.
અક્ષય કુમાર, સની દેઓલ, પરિણીતી ચોપરા, રિતેશ દેશમુખ ઉપરાંત, ઘણા અન્ય સ્ટાર્સે આ મોટી દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
Prayers for all those in the ill fated Ahmedabad flight.
— Sanjay Gupta (@_SanjayGupta) June 12, 2025
May God give strength to their families.
કેવી રીતે સર્જાઈ દુર્ઘટના
અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી.