Get The App

ઉદિત નારાયણના 'કિસ' વિવાદમાં પહેલીવાર દીકરા આદિત્યએ કહ્યું - 'જો મેં કર્યું હોત તો...'

Updated: Jun 28th, 2025

GS TEAM

Google News
Google News
ઉદિત નારાયણના 'કિસ' વિવાદમાં પહેલીવાર દીકરા આદિત્યએ કહ્યું - 'જો મેં કર્યું હોત તો...' 1 - image


Aditya Narayan Reacts On Father Udit Narayan Kiss Controversy: 90ના દાયકામાં બોલિવૂડને અનેક સપરહિટ ગીત આપનાર સિંગર ઉદિત નારાયણ થોડા સમય પહેલા એક અજીબ કારણોસર ચર્ચામાં આવ્યો હતો. તેમનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેણે લાઈવ શો દરમિયાન પોતાની ફીમેલ ચાહકને 'Lip Kiss' કરી હતી. ત્યારબાદ સિંગરને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો. જોકે, ઉદિત નારાયણે કહ્યું હતું કે, મારો આ વીડિયો ખૂબ જૂનો હતો. હવે સિંગરના દીકરા આદિત્ય નારાયણે પહેલી વાર પિતા સાથે થયેલા વિવાદ પર વાત કરી છે. 

ઉદિત નારાયણના 'કિસ' વિવાદ પર શું બોલ્યો આદિત્ય નારાયણ

ઉદિત નારાયણના 'કિસ' વિવાદ પર આદિત્ય નારાયણે કહ્યું કે, 'મારા પિતા ઉદિત નારાયણ સાથે જ્યારે આ વિવાદ થયો, ત્યારે તે લોકોના ગુસ્સાને સમજી ન શક્યા મારા પિતા એક એવા સમયમાંથી આવે છે જ્યારે કોઈ ચાહક તમને પ્રેમ આપે, અને જો તમે બદલામાં તેને પ્રેમ આપો છો, તો તેને ખોટું માનવામાં નહોતું આવતું. મારા પિતાને સહમતિ શું હોય છે તેનો આઈડિયા નહોતો. પરંતુ હવે તેઓ જાણી ગયા છે.' 

આદિત્ય નારાયણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ઈન્ટરનેટ એક અજીબ વસ્તુ છે. સોશિયલ મીડિયા વાસ્તવિક જગ્યા નથી અને તમે અહીં જે જુઓ છો તે સંપૂર્ણ સત્ય નથી. પબ્લિક ફિગર હોવાના કારણે દુનિયામાં શું ચાલી રહ્યું છે તેના પર અમારું કોઈ કંટ્રોલ નથી. પહેલા તો મારા પિતાને એ જ ન સમજાયું કે, લોકોની નારાજગી કઈ બાબત પર છે. તેઓ એક અલગ સમય અને માનસિકતામાંથી આવે છે. તેમના સમયમાં ચાહકો પોતાના અંડરગાર્મેન્ટસ આર્ટિસ્ટ પર સ્ટેજ પર ફેંકતા હતા.

'હવે તમે આવું ન કરી શકો. એ જ રીતે તેઓ એક એવા સમયમાંથી આવે છે જ્યારે કોઈ ચાહક તમને પ્રેમ આપે છે, તો જવાબમાં તમે તેને પ્રેમ આપો એ ખોટું નથી સમજતા. પરંતુ હવે સદનસીબે આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં સંમતિ નામની વસ્તુ છે. તેને તેના વિશે કોઈ ખ્યાલ નહોતો. તે સારું છે પણ તે ખૂબ જ નવો વિકાસ છે. હવે ઉંમર પ્રમાણે વાતો થવા લાગી છે. કદાચ જો મેં કર્યું હોત અને કોઈ 32 વર્ષની છોકરી હોત તો આટલી મોટી વાત ન બની હોત.'

આ પણ વાંચો: જાણીતી અભિનેત્રી શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે હાર્ટએટેકથી નિધન, બોલિવૂડ શૉકમાં ડૂબ્યું

આદિત્ય નારાયણે ઉદિત નારાયણને સંમતિનો અર્થ સમજાવ્યો

આદિત્ય નારાયણે આગળ કહ્યું કે, 'જ્યારે મારા પિતા કોઈ વાત સમજી ન શકે, ત્યારે હું તેમને શીખવું છું અને સમજાવું છું. સિંગરના દીકરાએ તેમને સમજાવ્યું કે તમે એક સેલિબ્રિટી છો. જો તમે કંઈ પણ કરો છો, તો તે તરત જ લોકોના ધ્યાનમાં આવે છે. આદિત્યએ કહ્યું કે, 'પિતાજી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના એક સીનિયર મેમ્બર બની ગયા છે અને તેમના ચાહકો 6-60 વર્ષની વયના છે. તેથી તે તેના પર નિર્ભર કરે છે કે આ ઘટના કોની સાથે બની રહી છે. તેમને ખબર નહોતી કે સંમતિ શું છે. 'તેઓ એ જનરેશનમાંથી નથી આવતા. તેઓ એવા વ્યક્તિ છે જે ક્યારેય ખોટા થવા નથી માગતા. તેમના માટે હું છું. જ્યારે તેઓ કંઈક સમજી ન શકે ત્યારે હું તેમને સમજાવું છું. હવે તેઓ જાણે છે કે સંમતિ નામની એક વસ્તુ છે. મેં તેમને માત્ર એક જ વાત સમજાવી કે તમે એક પબ્લિક ફિગર છો. કોઈ તમને કેવી રીતે પ્રેમ આપી રહ્યું છે તે ક્યારેય સમાચાર નહીં બનશે. પરંતુ તમે કેવી રીતે તેમને પ્રેમનો જવાબ આપો છો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તમે એક રોલ મોડેલ છો.' 

Tags :