આમિરખાન સાથે છૂટાછેડા લેનાર કિરણ રાવ પોતે પણ છે કરોડોની માલિક, જાણો બંનેની સંપત્તિ
નવી દિલ્હી,તા.3.જુલાઈ,2021
બોલીવૂડ સુપર સ્ટાર આમિરખાન અને તેમની પત્ની કિરણ રાવે છુટાછેડા લેવાની જાહેરાત કર્યા બાદ દેશભરમાં તેમના ચાહકોએ આંચકો અનુભવ્યો છે.આ બંનેના પંદર વર્ષના લગ્ન જીવનનો અંત આવી ગયો છે.
દેશભરમાં તેમના છુટાછેડા અંગે ચર્ચા ચાલી રહી છે ત્યારે આમિર ખાનથી અલગ થઈને પણ કિરણ રાવ કરોડપતિ રહેશે તેવુ જાણવા મળ્યુ છે.કિરણ રાવ પોતે પ્રોડક્યુસર , રાઈટર અને ડાયરેક્ટર છે.કિરણ પોતાની મહેનતથી આ મુકામ પર પહોંચી છે.તેની પોતાની કમાણી પણ સારી એવી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે કિરણ રાવની સંપત્તિ 20 મિલિયન ડોલર એટલે કે 146 કરોડ રુપિયા જેટલી છે.કિરણ પાસે પોતાનુ ઘર અને ગાડીઓ પણ છે.જોકે તેની સંખ્યા અંગે તેણે ક્યારેય વાત કરી નથી.જ્યારે આમિરખાનની વાત કરવામાં આવે તો અભિનેતાની કુલ સંપત્તિ 1434 કરોડ રુપિયા છે.આમિર એક ફિલ્મ માટે લગભગ 85 કરોડ રુપિયા ચાર્જ કરે છે.
ઉલ્લેખનીય છે કે, આમિર અને કિરણે 2005માં લગ્ન કર્યા હતા.તેમનો એક પુત્ર છે અને તેનુ નામ આઝાદ છે.કિરણે .. જાને તુ યા જાને ના, ધોબીઘાટ, દંગલ, તલાશ, સિક્રેટ સુપરસ્ટાર જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે.ધોબીઘાટ ફિલ્મની ડાયરેક્ટર પણ કિરણ રાવ હતી.
છૂટાછેડાના ભાગરુપે કિરણ રાવ આમિર ખાનની સંપત્તિમાં કોઈ હક માંગે છે કે કેમ તે આગામી દિવસોમાં ખબર પડશે.