Get The App

2 વખત લગ્ન તૂટતાં આમિર ખાન ભાંગી પડ્યો, કહ્યું - 'હું લગ્નમાં નિષ્ફળ રહ્યો પણ તલાકમાં..'

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
2 વખત લગ્ન તૂટતાં આમિર ખાન ભાંગી પડ્યો, કહ્યું - 'હું લગ્નમાં નિષ્ફળ રહ્યો પણ તલાકમાં..' 1 - image


Aamir Khan Talks About Two Marriage And Separation: સુપરસ્ટાર આમિર ખાન હાલમાં પોતાની ફિલ્મ 'સિતારે જમીન પર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ઈન્ટરવ્યુમાં તે પોતાની લવ લાઈફ પર દિલ ખોલીને વાત કરી રહ્યો છે. એક્ટરે જણાવ્યું કે, 'હું લગ્નમાં ભલે નિષ્ફળ રહ્યો પરંતુ તલાકમાં સફળ રહ્યો છું.'

હું લગ્નમાં નિષ્ફળ રહ્યો પણ તલાકમાં સફળ રહ્યો

એક ઈન્ટરવ્યુમાં તલાક પર આમિરે કહ્યું કે, 'અમારા પરિવાર માટે એ પણ એક વસ્તુ છે જેમાં અમે ખુશ નથી. અમે ખુશીથી આ વસ્તુ નથી કરી રહ્યા. પરંતુ કેટલીક સ્થિતિ એવી સામે આવી જેમાં અમને લાગ્યું કે, કદાચ અમારો સબંધ બદલાઈ ગયો છે. આવી સ્થિતિમાં કાં તો હું દુનિયાને ખોટું બોલી શકું છું અથવા તો દેખાડો કરી શકું છું. એવું દેખાડી શકું કે, કિરણ અને હું ખૂબ જ ખુશ છીએ. અમે પરિણીત છીએ. હું લગ્નમાં સફળ નથી રહ્યો, પરંતુ તલાકમાં હું સફળ રહ્યો છું.' આ વર્ષે આમિરે પોતાના 60મા જન્મદિવસ પર  ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટને ઈન્ટ્રોડ્યૂસ કરાવી હતી. આ દિવસોમાં બંને ઘણીવાર સાથે જોવા મળે છે.

આ પણ વાંચો: PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત, અમદાવાદ એરપોર્ટ અનિશ્ચિત કાળ સુધી બંધ

આમિર ખાનને બે લગ્નથી ત્રણ બાળકો

આમિરના પહેલા લગ્ન રીના દત્તા સાથે થયા હતા. બંનેના લવ મેરેજ ન ચાલ્યા અને તેમનું તલાક થઈ ગયું. ત્યારબાદ આમિરે કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા. એક્ટરનો આ સબંધ પણ ન ચાલ્યો. આમિરને બંને લગ્નથી ત્રણ બાળકો છે. આયરા ખાન, જુનૈદ ખાન અને આઝાદ રાવ ખાન. 

Tags :