'યત્ર નાર્યેસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા:
જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવોનો વાસ હોય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને દેવી ગણવામાં આવે છે. દેવી એટલે સાક્ષાત સૌંદર્ય અને સંસ્કારની મૂર્તિ સમાજમાં સ્ત્રીને પુરુષ સમોવડી ગણી છે. સ્ત્રી એક માતા છે. તે શક્તિ સ્વરૂપા છે આપણી માતા, બહેન કે દિકરીમાં આપણે એક શક્તિ જોઈએ છે. જ્યારે આપણે માતાજીના મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ ત્યારે માતાજીને કેવો શણગાર કર્યો છે તે જોઈએ છીએ. પથ્થરની મૂર્તિમાં દેવતાના આપણને દર્શન થાય છે. તેથી સ્ત્રીઓને સન્માન આપવું જોઈએ. સ્ત્રી પોતાના વ્યક્તિત્વ, ગુણો અને સૌદર્યથી સર્વસ્વનું કલ્યાણ કરે છે. એક સંસ્કારી માતા સો શિક્ષકની ગરજ સારે છે. સ્ત્રીઓ પર થતા અત્યાચારો બળાત્કારો કે સ્ત્રીનું શોષણ તે અશોભનીય છે.
આપણે આપણી માતા બહેન કે દિકરીમાં જે સુંદરતા કે ગુણો જોઈએ છે તે સર્વેમાં જોવાની ટેવ પાડવી જોઈએ. જીજાબાઈ પોતાના આદર્શ વ્યક્તિત્વને કારણે શિવાજી જેવા સપૂતનો જન્મ આપી શકે. દરેક સ્ત્રીમાં માતાની જેમ પૂજ્ય ભાવે જોવું જોઈએ. જે કુળમાં સ્ત્રીઓનો સત્કાર કરવામાં આવે છે. તે કુળ પર દેવતાઓ પ્રસન્ન થાય છે. જે કુળમાં સ્ત્રીઓનો સત્કાર કરવામાં આવતો નથી તે કુળનો યજ્ઞા, પણ વગેરે ધર્મક્રિયા નિષ્ફળ જાય છે.