માત્ર મનથી થતી પૂજા 'શિવ માનસ પૂજા'
શ્રીમદ્ શંકરાચાર્યજીએ કોઈપણ પૂજાની સામગ્રી-મૂર્તિ-વિધિ વિના આ શરીરને જ શિવજીનું મંદિર કલ્પી શિવજીની માનસ પૂજા આપેલ છે. જેને 'શિવ માનસ પૂજા' તરીકે ઓળખીએ છીએ જે આપણે કોઈપણ તથા કોઈપણ જગ્યાએ દરેક અવસ્થામાં કરી શકીએ છે.
"પૂજાની તમામ સામગ્રી તથા પ્રસાદ-નૈવેદ્ય સર્વે મેં મારા મનથી કલ્પીને ભક્તિથી શિવજી આપને અર્પણ કર્યું છે. તેનો હે પ્રભો ! આપ સ્વિકાર કરો."
"હે શંકર ! મારો આત્મા તે તમે છો, મારી બુદ્ધિ તે પાર્વતી છે, મારા પ્રાણો તે તમારા સહચર, મારું શરીર તે તમારું મંદિર, નાના-વિવિધ પ્રકારનાં વિષયોનો હું જે ઉપભોગ કરું છું તે જ તમારી પૂજા છે. મારી નિંદ્રા એ તમારી સમાધિ સ્થિતિ છે. મારું રોજ પગેથી ચાલવું એ તમારી પ્રદક્ષિણા છે અને હું જે કંઈ વાણી બોલું છું તે તમારી સ્તુતિ-પ્રાર્થના છે. આ પ્રમાણે હે શંભો ! હું જે જે કંઈ કર્મ કરું છું તે સર્વ તમારું જ આરાધના છે."
હાથ અથવા પગથી કરેલું વાણી, કર્મ, શરીરથી, કાન આંખ કે મનથી કરેલું અથવા ભવિષ્યમાં હું કરવાનો હોઉં તે (જાણીને કરેલા કે અજાણતાથી કરેલા) પણ એ સર્વ પાપની મને ક્ષમા આપો અને હે દયાના સાગર ! હે મહાદેવ ! હે શંભો ! આપનો જય જયકાર હો !
"જય જય કરુણાધે શ્રી મહાદેવ શંભો !"
- ડો. ઉમાકાંત જે. જોષી