Get The App

નારી તું નારાયણી .

Updated: Jan 25th, 2023

GS TEAM


Google News
Google News
નારી તું નારાયણી                                                                           . 1 - image


નારી તું નારાયણી, નારી ગુણનો ભંડાર

નારીથી નર નિપજ્યા, ધ્રુવ પ્રહલાદ પ્રમાણ

આપણી સંસ્કૃતિના મૂળ પાયામાં નારીનું સ્થાન છે. કૃતિ સંસ્કૃતિની માતા છે. દરેક જીવની પ્રથમ સર્જક નારી છે. ધ્રુવ, પ્રહલાદ, ગાંધીજી, સરદાર અને સ્વામી વિવેકાનંદ જેવા મહારત્નોને જન્મ આપનાર રતનની ખાણ એટલે નારી. વેદ અને પૂરાણો સાક્ષી છે કે યત્ર નાજી પૂજ્યંતે તત્ર સર્વ દેવતા રમન્તે. અર્થાત જ્યાં નારી પૂજાય છે ત્યાં સર્વ દેવતાનો વાસ છે. સમાજ અને સંસ્કૃતિને જીવંત રાખનાર નારી છે. રામ અને કૃષ્ણ જેવા અવતારી પુરૂષ આપનાર નારી છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પૃથ્વી પર જન્મ લેવા માટે નારીનું શરણું લેવું પડયું હતું. જેના ફળ સ્વરૂપે આપણે સતી અનસુયાના ખોળે ભગવાન દત્તાત્રેય અવતર્યા. આજે ભારતની ભૂમિ સંતો, સતી, જતી અને શૂરવીરની ગણાય છે. એની જન્મદાત્રી નારી છે. બાળકને નાનપણથી કેવો બનાવવો એ માતાના હાથની વાત છે. શિવાજીની માતાએ હાલરડું ગાઈને પારણામાંથી જ શૂરવીરતાના સંસ્કારનું સિંચન કર્યું હતું. મોટા થયા પછી શિવાજી છત્રપતિ કહેવાયા. સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંશ, રવિન્દ્રનાથ ટાગોર અને અન્ય મહાન વિભૂતીઓને જન્મ આપનાર નારાયણી નારી ખરેખર રતનની ખાણ છે. નારી વિધાતા છે. જન્મધાત્રી છે.

સહનશીલતા નારીનું આભૂષણ છે. અન્યાય અને અત્યાચાર સહન કરવો એ ગુનો છે. એવા સમયે નારી રણચંડી બને એ ખોટું નથી. સીતાજી અને દ્રોપદીની સહનશીલતા એના પૂરાવા છે. અયોધ્યામાં ધોબીના મ્હેણા સાંભળી રામે સીતાનો ત્યાગ કર્યો પરંતુ સીતાએ ત્યાગનું કારણ ન પૂછયું. અગ્નિપરીક્ષા આપી પણ સાબિત ન કર્યું. દુર્યોધને ભરી સભામાં દ્રોપદીના ચીર ખેંચ્યા છતાં તેની સામે કોઈ વાંધો ન હતો. આજ્ઞાા પાલન અને સહનશીલતાના પૂરાવા છે. આજ્ઞાા અનુસાર સીતાનો ત્યાગ થયો. પરિણામે લવ કુશને જંગલ વેઠવું પડયું. આ આપણી સંસ્કૃતિની નારી છે. આપણે આપણી સંસ્કૃતિનું ગૌરવ લઈએ છીએ. નારી નારાયણી છે. જગત જનની છે. આદ્ય શક્તિ છે અને ભક્તિ છે. જગવિધાતા છે.


Tags :