ત્રણ ભુવનના નાથ તીર્થકર પરમાત્માના જિનાલયની ધજા બદલનારો અતિશય પુણ્યનો સ્વામી બને છે.
૧) આખી પૃથ્વી પર જેટલા પણ તીર્થો છે એ બધાયની જાત્રા કરવા જેટલો લાભ જિનાલયના શિખરની ધજા બદલવાથી થાય.
૨) જિનાલયની ધજા બદલનારો પુણ્યશાળી આત્મા અત્યંત શૌર્ય, કીર્તિ અને યશ પામે.
૩) આવા શુભ મંગલ પ્રસંગો એ ચઢતા ભાવો સાથે માત્ર હાજરી પુરાવવાથી પણ આપણે અનેરું પુણ્ય કમાઈ શકીયે છીએ.
૪) આ બધાય ઉપરાંત જિનાલય દર્શનના વિચાર માત્રથી ૧ ઉપવાસનો, દર્શન કરવા પગ ઉપાડતા ૧૦ ઉપવાસનો, દૂર થી શિખર/ ધજાના દર્શન કરતા ૧૦૦ ઉપવાસનો, પ્રભુજીના દર્શન માત્ર થી ૧૦૦૦ ઉપવાસનો, પ્રભુજીની અષ્ટ પ્રકારી પૂજા કરતા ૧૦,૦૦૦ ઉપવાસનો અને પ્રભુજીને હાથેથી ગુંથેલી ફૂલની સુંદર સુગંધી માળા પહેરાવવાથી ૧ લાખ ઉપવાસનો આપણને લાભ થાય.


