કેવી સત્ય હકીકત... .
* જ્યારે આપણે જીવતા હોઈએ છીએ ત્યારે આપણને લાગતું હોય છે કે આપણી પાસે ખર્ચવા માટે પુરતા પૈસા નથી. સાચું તો એ છે કે જ્યારે મૃત્યુ થશે ત્યારે મોટા ભાગનું ધન ખર્ચ્યા વગરનું રહી જશે.
* એક ચીની સોફ્ટ વેર એન્જીનીયરનું મૃત્યુ થયું. એ પોતાની વિધવા પત્ની માટે બેન્કમાં ૨.૯ મીલીયન ડોલર મુકી ગયો. પછી વિધવાએ જવાન નોકર સાથે લગ્ન કરી લીધા. નોકરે કહ્યું, "હું હંમેશાં વિચારતો હતો કે હું મારા માલિક માટે કામ કરું છું. પણ હવે મને સમજાયું કે આ તો માલિક આખી જિંદગી મારા માટે કામ કરતા હતા."
* જરૂરી એ છે કે વધારે ધન ભેગું કરવાને બદલે વધારે જીવવું. સારા અને સ્વસ્થ શરીર માટે પ્રયત્ન કરો.
* મોંઘા ફોનના ૭૦% ફંકશન બીનઉપયોગી રહી જાય છે.
* મોંઘી કારની ૭૦% સ્પીડનો ઉપયોગ જ નથી થતો.
* આલીશાન મકાનનો ૭૦% હિસ્સો હંમેશાં ખાલી જ રહે છે.
* પુરા કબાટમાંથી ૭૦% કપડાં તો પડયાં જ રહે છે.
* પુરા જીવનની કમાણીનો ૭૦% હિસ્સો બીજા માટે રહી જાય છે.
* ૭૦% ગુણોનો જીવનમાં ઉપયોગ પણ થતો નથી હોતો.
* પણ જે ૩૦% વાપરીએ છીએ તે કેવી રીતે વાપરશો...???
* સ્વસ્થ હો તો પણ નિયમિત ચેકઅપ કરાવો. તરસ ના હોય તો પણ પાણી પીતા રહો. પોતાના અહંમનો ત્યાગ કરો. શક્તિશાળી હોવા છતાં પણ સરળ અને સૌમ્ય રહો. ધનિક ના હો તો પણ પરીપુર્ણ રહો. જીવનનો સાચો મતલબ સમજો.
* ભાગી જવું બહુ સહેલું છે. પણ જાગી જવું બહુ કઠીન છે. "હૃદય" કેવું ચાલે છે એ તો ડોકટર બતાવી દેશે. પણ "હૃદય"માં શું ચાલે છે એના માટે તો "સાચા દોસ્તો" જ જોઈએ.
* એક વાર એક ઝુંપડામાં ફુલ ઠંડીમાં રાત્રે બે નાના છોકરા છાપા (ન્યુઝ પેપર) ઓઢીને સુતા હતા.
* એમની પાસે ઓઢવાનો ધાબળો નહોતો. એટલામાં એક છોકરાએ બીજા છોકરાને કહ્યું : જેમની પાસે ઓઢવા માટે છાપા નહિ હોય તેમનું શું થતું હશે.
* જિંદગી કેવી જીવો છો તે નહિં પણ જિંદગીમાં કેવું વિચારો છો એ મહત્વનું છે !
સૌને પ્રેમ કરો,
સૌનો ખ્યાલ રાખો,
જીવનનો આનંદ લો.
એકબીજા સાથે
જોડાયેલા રહો.
આ જ સાચું જીવન છે.
'જમાવટ' તો જીંદગીમાં હોવી જોઈએ...
બાકી 'બનાવટ' તો આખી દુનિયામાં છે જ...