Get The App

'વિશ્વ વ્હારે વિશ્વકર્મા'

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
'વિશ્વ વ્હારે વિશ્વકર્મા' 1 - image

વિશ્વકર્માનું નામ સાંભળતાની સાથે જ દિમાગમાં શું આવે ?

મહાસુદ તેરસ એટલે શ્રી વિશ્વકર્મા પ્રભુની જન્મ જયંતી.

વિશ્વના સર્જનહાર બ્રહ્માજી દ્વારા જેમ ચાર વેદ પ્રગટ થયા તેવી જ રીતે બ્રહ્માજીના માનસપુત્ર શ્રી વિશ્વકર્મા દ્વારા સ્થાપત્યવેદની રચના થઈ. સ્થાપત્ય શાસ્ત્રોની વેદો સાથે સરખામણી થતા તે ઉપવેદ તરીકે માન્ય થયા. સ્થાપત્યવિદ્યા કે ઉપવેદ છે. સ્થાપત્ય વિદ્યાના આધ્ય સર્જનહાર શ્રી વિશ્વકર્મા પ્રભુ છે. વિશ્વકર્માનું સ્થાન હિન્દુ દેવતામાં મહત્ત્વપૂર્ણ છે.

વિશ્વકર્માના પૂજન માટે અમાવસ્યા તિથીનું ખૂબ મહત્વ છે. અમાવસ્યાના દિવસે ગજની પૂજા અવશ્ય કરવી જોઈએ ગજમાં દરેક દેવ ત્રણ ઇંચ ઉપર છે. રુદ્ર, સૂર્ય, વિશ્વકર્મા, અગ્નિ, બ્રહ્મા, કામ, વરુણી, સોમ અને વિષ્ણુ આ દેવતાઓ ગજ પર બિરાજમાન છે.

હિન્દુસ્તાનમાં ભગવાન વિશ્વકર્માનું મુખ્ય સ્થાનક ઇલોરગઢ મહારાષ્ટ્રમાં છે જે વેલુરના નામથી ઓળખાય છે. જે વ્યક્તિઓ વિશ્વકર્માના કાર્ય સાથે સંકળાયેલા છે તેને વર્ષમાં એક વખત ઇલોરગઢ જઈને દર્શન કરવા જોઈએ જેથી પોતાના કામમાં આવતા વિઘ્નો વિશ્વકર્માના આશીર્વાદથી દૂર થાય. વિશ્વકર્માના સંતાનો ખૂબ જ મહેનતુ હોય છે દર અઠવાડિયે એક દિવસ રજા નહિ રાખતા, મહિનાના ઓગણત્રીસ દિવસ કામ કરે છે અને એક જ રજા અમાસની રાખે છે એમાં પણ ભગવાન વિશ્વકર્માનું પૂજન અને અર્ચન કરે છે. વિશ્વકર્માના વંશજોએ કામ શરૂ કરતા પહેલા નીચેનો મંત્ર અવશ્ય બોલવો જોઈએ. ૧૭ મુખી રુદ્રાક્ષ વિશ્વકર્મા દાદાનું પ્રતીક છે.

' જય વિશ્વકર્મણે નમો નમોસ્તુતે હસ્તે કલેશ હૃદય વસ્તુતે નમો નમોસ્તુતે, જગત નિયતે જગત પિતે નમો નમોસ્તુતે કષ્ટ સહિત હસ્તકલે વિશ્વકર્મણે નમો નમોસ્તુતે.'

- ડો. સ્મિતા સુથાર