અપેક્ષારહિત જીવનશૈલી- સુખનું સરનામું
સુખ શું- દુઃખ શું ? આ બાબતે સરળભાષામાં સમજણ રજૂ કરૂં તો- ' મનને ગમે અને મળે તો સુખ. મનને ગમે નહીં અને મળે તો દુઃખ.' ટૂંકમાં કહીએ તો- 'મનગમતું મળે તે સુખ, અણગમતું મળે તે દુઃખ.' સવિશેષ લખું તો- મનને ગમે તે છીનવાઈ જાય. ખોવાઈ જાય- નષ્ટ થાય તો દુઃખ અને મનને ગમે નહીં અને છીનવાઈ જાય, ખોવાઈ જાય- નષ્ટ થાય તો સુખ. આ સહજ-સ્વાભાવિક વિચારધારા (સ્ૈહઙ્ઘજીં) આજના આધુનિક માનવીની છે. દરેક મનુષ્યમાત્રને સુખની ઘેલછા હોય. દુઃખ કોઈને ન ગમે ! આજનો માનવી વૈભવ-સુખ- સમૃધ્ધિ પાછળ આંધળો અને અધીરો બન્યો છે. નાણાં કોથળી (ધનસમૃધ્ધિ) એ આજના માનવીનું સુખ છે ભલે પછી જ્યાં સંસ્કારો ગૌણ હોય, અશાંતિની હાજરી હોય ! તેથી જ સુખ અને દુઃખ અંગેની સમજણ જુદી જુદી પરિસ્થિતિમાં જુદું જુદું સ્વરૂપ દર્શાવે છે. આજે મનુષ્ય હાનિકર્તા વસ્તુ કે વ્યક્તિને પોતાનું મનગમતું સુખ માની તેથી પાછળ દોરવાય છે, જે પ્રાપ્ત થતાં રાજિપા કે સુખિયા થયાની અનુભૂતિ કરે છે. જો કે આ મનગમતું સુખ વાસ્તવમાં દુઃખનું કારણ બની રહે છે. આજે વ્યસને, વ્યાભિચાર, કુસંગ, બુરી આદતો મનગમતું સુખ માનવી માટે બની રહ્યું છે જે ન મળે તો દુઃખી દુઃખી બેચેન, હતાશ-વિવશ, અને તણાવગ્રસ્ત ! ખરેખર ! આ મનુષ્ય જેને સુખ માનીને તેનો ઉપયોગ- ઉપભોગ કરે છે તેનું પરિણામ આખરે દુઃખદાયક કે પીડાકારક બની રહે છે.આમ આ મનગમતું સુખ ખરેખર દુઃખમાં પરિણમે છે !
વાસ્તવમાં- સમજ કેળવીએ તો જે મળ્યું છે એને સ્વીકારવું કે ગમાડવું (સાત્વિક ગુણો) તેનું નામ સુખ- એક સ્થિત પ્રજ્ઞા સ્થિતિ ! વિશેષ-માનવીના મનના નકારાત્મક ભાવો જેવા કે રાગ-દ્વેષ- ઇર્ષ્યા- દુભાવ-કુભાવ (મનગમતી આ બાબતોનો મનમાં કાયમી સંગ્રહ) જે મનમાં રહે નહીં તે સુખ. આ દુર્ગુણો-વેરઝેરની ગાંઠો, બદલા-ઇર્ષ્યાની જડો માનવીના મન તેમજ અંત ઃકરણમાંથી ઝડપથી નષ્ટ થતી નથી પણ જે ઘડીથી સમજણ-જ્ઞાાનને સહારે નષ્ટ થાય, કૂણી પડે, મોળી પડે-પીગળે, ક્રમશ ઘટે કે નાશ પામે તે ક્ષણથી સુખ જ સુખ. આ ક્ષણથી-ઘડીથી પરમાનંદ-ચિદાનંદ અને સુખશાંતિનો વૈભવ પ્રાપ્ત થાય. જે મળ્યું છે. તે ઇશ્વર- ઇચ્છા- પ્રભુ પ્રસાદી ગણીએ તો સુખ જ સુખ આ સુખ સ્વીકૃતિ- સ્વીકારમાં આવકારમાં આનંદની છોળો ઉડે ! હકારાત્મક- રચનાત્મક અને સર્જનાત્મકતા સાથેની વિચારધારા શ્રધ્ધાપૂર્ણ આશાવાદી પણ અપેક્ષારહિત ભાવ સાથેની જીવનશૈલી એટલે જ સુખનું સાચું સરનામું. જ્યાં અપેક્ષા શૂન્ય હોય ત્યાં દુઃખ સંભવે નહીં જે સંતોષ- શાંતિની, અનુભૂતિ પ્રકટાવે. આમ મનુષ્યએ અંતઃકરણથી પ્રેમપૂર્વક માની લીધેલું- સહજ સ્વીકારેલું સુખ એ એક સ્વયં ઉર્જા બને છે. જેના ફળસ્વરૂપો મનુષ્યનું મુખારવિંદ સાત્વિકગુણોથી છલોછલ ભરાઈ તેજ અને પ્રકાશ સાથે ઓજસ્વી અને તપસ્વી સ્વરૂપ ધારણ કરે છે. સેવા-સમર્પણ-ત્યાગ એ પણ સુખના સ્વરૂપો જ છે જે માનવીના હૃદયમંદિરમાં સેવા-સુવાસનું રૂપ ધારણ કરી જે તે મનુષ્યનું સુખદાયક જીવનસૌંદર્ય બની રહે છે.
- કમલેશ હરિપ્રસાદ દવે