Get The App

પ્રભુમાર્ગે જનાર સાધકના વ્યવહારોમાં, આમૂલ દિવ્ય પરિવર્તન આવવું જ જોઈએ

Updated: Apr 20th, 2022

GS TEAM


Google News
Google News
પ્રભુમાર્ગે જનાર સાધકના વ્યવહારોમાં, આમૂલ દિવ્ય પરિવર્તન આવવું જ જોઈએ 1 - image

પ્રભુપ્રાપ્તિ મોંઘામાં મોંઘી છે. સાંપડવી સહેલી નથી. સૂત, વિત, દારા, શીશ, સમર્પી શકે તે જ હરિરસ ચાખી શકે.. હરિનો મારગ શૂરાનો છે

સા ધનાક્રમનું સમ્યક પાલન કરે, તે સાધક. સમ્યક્ પાલનયુક્ત દિનચર્યા જીવન વ્યવહાર હોય તો તે 'સાધકજીવન' કહેવાય.

પ્રારંભથી જ નિષ્ઠા-દૃઢતાથી નિયમોનું પાલન કરવાની તૈયારી રાખવી પડે. જે જે દુ:ખ કે આપત્તિ, વ્યથા, પ્રતિકૂળતા, અસુવિધા આવી પડે, તેનું કારણ પોતાની ભૂલો છે. તેનો સ્વસ્થતાથી સ્વીકાર કરવો પડે.

ઇર્ષાકરનાર, વેરભાવ રાખનાર, નિંદા-વગોવણી કરી કષ્ટ આપવાની અયોગ્ય ચેષ્ટા કરે તો પણ, તેના પ્રત્યે બદલાની ભાવના ન રાખવી. ર્નિવૈર ભાવનાબુદ્ધિ જાગૃત કરવી.

વિચારપૂર્વક, નિર્વૈરભાવ પુષ્ટ કરી, એનામાં પણ ભગવત્ સ્વરૂપ જોવું. આવેલ આપત્તિને જેવી ભગવાનની ઇચ્છા એવી સમજથી કોઈ ખરાબ પ્રત્યાઘાત ન આપવા. સાધક જીવનની શરૂઆત કરતાં પહેલાં ભલે અણસમજથી ભૂલો કરી હોય, પણ હવે સાધકજીવન શરૂ કર્યા પછી આચરણમાં ભૂલો ન થવી જોઈએ. સાધક બનવા માટે બધા જ વ્યવહારોમાં આચરણમાં આમૂલ પરિવર્તન લાવવા કટિબદ્ધ થવાનું અનિવાર્ય છે.

માન, કીર્તિ, રાગદ્વેષ, ક્રોધ વગેરે વૃત્તિઓના વશ રહેવું એતો, સાંસારિક તુચ્છતા છે. સાધક બન્યા પછી દ્વેષી પ્રત્યે દ્વેશી, વેરીપ્રત્યે વેરી બનવાનું છોડવું જ પડે.

સાધક બન્યા પછી સમજવું પડે કે રાગદિક, ક્રોધાદિક, પ્રવૃત્તિઓ ઉદ્વેગ- અનુતાપ આપે છે. મનને સંતપ્ત અને અશાંત બનાવે છે. મન એવું વિચિત્ર છે કે પળેપળ વિવિધ કામનાઓની પૂર્તિ માટે પરોવાયેલું રહે છે. કામનાઓ પૂર્ણ થતી નથી ને જીવન, અસંતોષના અગ્નિમાં બળ્યા કરે છે. સુખ શાંતિ મળતાં નથી તેના અભાવમાં, વ્યગ્ર બની, ભૂતની માફક ભટક્યા કરે છે. આવા સમયે દૃઢસંકલ્પથી જાગી જવું પડે ભગવાન કે સદ્ગુરુને શરણે જઇ પુરુષાર્થ કરવો પડે.

મન મારનકી ઔષધિ, સદ્ગુરુ દેત દિખાય,

ભગવત્ કૃપા- સદ્ગુરુ કૃપા ઊતરતાં જ નવો જન્મ પામે છે. એટલે કે તે હવે ક્ષુદ્ર જીવ રહેતો નથી. હવે તો તે આસૂરી સંપત્તિ રૂપ કુભાવ છોડી, દિવ્ય-દૈવીસંપત્તિ.. અલૌકિક શક્તિ માટે મથે છે.

આ માટે ઘર, પરિવાર, વેશ આદિનો સ્થૂળ ત્યાગ જરૂરી નથી. હૃદયની આંતરિક પવિત્રતા, અનિવાર્ય છે. હા, આમાં ઉતાવળ ન ચાલે. ઉતાવળે આંબા ન પાકે. રાગાદિક સંસ્કારો એકદમ નિર્મૂળ થવાના નથી. હિંમત- ધૈર્ય- આત્મવિશ્વાસ રાખી પુરુષાર્થ ચાલુ રાખવો પડે જ.  ૈં જરટ્વઙ્મઙ્મ ખ્તર્િુ ર્ઙ્મઙ્ઘ, હ્વેં હીદૃીિ ર્ર્ઙ્મજી ઙ્મૈકીજ ડીજં- એવા ઉત્સાહ-ઉમંગ-સાથે તેણે આગળ વધવું પડે. કાર્યમ સાધયામિ યા, દ્વેહં પાતયામિ- એવો જોમ-જુસ્સો રાખવો પડે.

કોઈ સમર્થ સદ્ગુરુ મળ્યા હોય તો સાધક બડભાગી બની જાય છે. પ્રભુના સાનિધ્યમાં પહોંચવા સર્વથા શક્તિમાન બને છે.

સાધકનું જીવિત અવસ્થામાં જ નિ:સંગ-નિર્લેપ જીવન બની જાય છે. સાધકે હૃદયની પવિત્રતા સાધતા જઈ સાધક પંથે આગળ વધવાનું છે. સાધકે સાચાદિલે નિષ્ઠાથી સાધનાપંથે આગળ વધવાનું છે. કોઈની દેખાદેખી -નકલ-કરવાની નથી. દૃઢતાપૂર્વક જાગૃત રહી દંભ, પાખંડ, કપટથી દૂર રહેવાનું છે.

દેખાદેખી ભક્તિકો, કબહું ન ચઢ હી રંગ,

વિપત પડૈં તબ છાંડ દી, જયું કૈંચુલી ભુજંગ.

પ્રભુપ્રાપ્તિ મોંઘામાં મોંઘી છે. સાંપડવી સહેલી નથી. સૂત, વિત, દારા, શીશ, સમર્પી શકે તે જ હરિરસ ચાખી શકે.. હરિનો મારગ શૂરાનો છે.

ધૈર્ય, શ્રદ્ધા, સહનશીલતા, ક્ષમા, ત્યાગ, તપ, જ્ઞાાનવિવેક, સચ્ચાઈ, આસ્થા સદ્વિચાર, સત્કર્મ, સદ્વ્યવહાર, સંયમ પ્રેમ અને ઇશ શરણાગતિથી ભર્યું ભર્યું સાધકનું જીવન દિવ્યભક્તિથી ઝળહળી ઉઠે છે.

સુજ્ઞોષુ કિં બહુના... સમજદારને વધુ શું કહેવું ?

- લાભુભાઈ ર.પંડયા

Tags :