પ્રભુના વસ્ત્રો .
પ્રભુના વસ્ત્રો કાપડની જુદી જુદી જાતમાંથી બનાવવામાં આવે છે. કાપડની જુદી જુદી માહિતી નીચે પ્રમાણે છે.
૧. મોઠડા : લાંબી સળીદાર લહેરીયા
૨. છાપા: ચંદન અથવા સોના-ચાંદીના રંગના છાપા
૩. જામદાની : જાળીદાર સુતરાઉ કાપડ
૪. રાજાશાહી લહેરીયો : અંગ્રેજી અક્ષર 'વી'ના આવર્તનવાળો લહેરીયો
૫. ફુરુખશાહી જરી : જરીના વસ્ત્રમાં બીજા રંગની જરીની બુંટ
૬. તાસ : સુતરાઉ કાપડ પર જરીની ચોકડી
૭. ખીનખાબ: રેશમી કાપડ પર જરીની બુંટ
૮. છીંટ : સુતરાવ કાપડ પર જુદા જુદા પ્રકારની ભાત
૯. જગન્નાથી : શ્વેત મુલાયમ મલમ
૧૦. વસંતી : રંગીન સુતરાવ કાપડ પર બીજા રંગના છાંટા
૧૧. કવાય : રૂ ભરેલું વસ્ત્ર
૧૨. ધનક : ઇન્દ્રધનુષી રંગોનો લહેરીયો
૧૩. ઇકડાલી ચૂંદડી : રંગીન સુતરાવ કાપડ પર બીજા રંગની છુટી છુટી એક એક ચોકડીઓ
૧૪. કારચોવ : ચોસલાવાળું મલમલ
૧૫. મટર ભાંતજાદાની : વટાણા જેવી ગોળ જરીવાળું વસ્ત્ર.