Get The App

લગ્નમાં સૌ પ્રથમ ગણેશ સ્થાપન

Updated: Feb 9th, 2022

GS TEAM


Google News
Google News
લગ્નમાં સૌ પ્રથમ ગણેશ સ્થાપન 1 - image


-  (ગ્રહશાંતિ કેમ થાય છે ?

ગ્રહશાંતિમાં પ્રાર્થના છે કે ચાર દિશાઓ ચાર ખૂણાઓ આકાશ અને પાતાળ બધી દિશાઓ મારું મંગળ કરો એવી પ્રાર્થના છે.

ગણપતિ બુધ્ધિના દેવ છે ગણપતિ-ગણ એટલે સમુહ અને પતિ સમુહનો પતિ તે ગણપતિ તેનું પૂજન માંગલિક પ્રસંગોમાં પ્રથમ થાય છે. આથી કાર્યમાં વિઘ્ન ન આવે. ગણપતિનું મસ્તક હાથીનું છે. આ મસ્તક ઉદાર , તેજસ્વી અને ભવિષ્યવેત્તા છે લગ્નમાં હાથીદાંતનો ચૂડો સૌભાગ્યના પ્રતિક તરીકે આપવામાં આવે છે. ગણપતિની ઝીણી આંખ સંસ્કારમાંથી ઝીણું જોવાની શીખ આપે છે. ગણપતિના બે દાંત છે મોટો દાંત શ્રધ્ધાનો છે. નાનો બુધ્ધિનો છે. તે શ્રધ્ધાવાન લભતે સાનમ 'સંસારમાં શ્રધ્ધા અને પ્રેમ જરૂરી છે. ગણપતિના મોટા સૂપડા જેવા કાન દંપતિને શીખ આપે છે કે સંસારની ટીકા-નીંદા કુથલી એક કાને સાંભળી બીજા કાનેથી કાઢી નાખવી. મગજમાં આવી ગંદકીને સંગ્રહવી નહીં. ગણપતિનું વાહન ઉંદર પ્રેરણા આપે છે કે ઉદ્યમી રહો. સંસારને ચલાવવા ઉદ્યમ પરિશ્રમ જરૂરી છે. ગણપતિનો હાથ આશીર્વાદ આપે છે. સુખ રહો ! સમજણ એજ ગણપતિનું પૂજન છે. ગણપતિના આવા ગુણોથી સંસારની નાવ ચલાવવામાં આવે તો સુખી થવાય. લગ્ન એક સાધના છે. સમસ્યા નથી એ ઉપાસના છે. 

વાસના નથી ગૃહસ્થાશ્રમની કેડીએ પગ મૂકતાં શ્રીફળ હાથમાં રાખવામાં આવે છે. શ્રી ફળ એ સાફલ્યનું પ્રતિક છે. લગ્ન એ પ્રેમ, પૂજા, સેવા, સમર્પણના મહાયજ્ઞા છે. ગણપતિએ દરેક દિશાઓના દેવ છે. અધિષ્ઠાના છે. ગણપતિની અનુમતિ હોય તો જ બધા દેવો તમારી પૂજા સ્વીકારે છે. શ્રીગણેશ એ પ્રવિત્રતાના પ્રતિક છે.

।। વક્રતૃન્ડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભ :।

નિર્વિધ્નં કુરૂપે દેવ સર્વ કાર્યષુ સર્વદા ।।

ગણેશ સ્થાપન સવારે કરવું હિતાવહ છે. શ્રી અને શાંતિની કામનાવાળા દંપતીએ ગ્રહશાંતિ કરાવવી જોઈએ.

- બંસીલાલ જી.શાહ

Tags :