મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું, શ્રીકૃષ્ણ અર્જુનના સારથી હતા
જેવું અર્જુનનું બાણ છૂટતું, કર્ણનો રથ ઘણો જ પાછળ જતો રહેતો.
જ્યારે કર્ણનું તીર છુટતું તો અર્જુનનો રથ સાત પગલા પાછળ જતો રહેતો.
શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનની પ્રશંસા કરવાને બદલે દર વખતે કર્ણ માટે કહ્યું, 'કેટલો વીર પુરૂષ છે, આ કર્ણ.'. જે અમારા રથ ને સાત પગલા પાછો પાડી દે છે.
અર્જુન ઘણો પરેશાન થયો.
અસમંજસની સ્થિતિમાં પુછી બેઠો, 'હે વાસુદેવ, આ પક્ષપાત કેમ ? મારા પરાક્રમની આપ નોંધ નથી લેતા અને આપણા રથ ને માત્ર સાત પગલા પાછળ ધકેલતા કર્ણ માટે આપ દરેક વખત વાહ-વાહ કરો છો ?'
શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા : પાર્થ, તને ખબર નથી...
'તારા રથ પર મહાવીર હનુમાન. અને હું સ્વયં વસુદેવ કૃષ્ણ બિરાજમાન છે.'
જો અમે બન્ને ન હોત તો તારા રથનું અત્યારે અસ્તિત્વ પણ ન હોત.
આ રથ ને સાત પગલાં પણ પાછળ ધકેલવું એ કર્ણ ના મહા બળવાન હોવાનો સંકેત છે.
અર્જુન આ સાંભળીને પોતાની ક્ષુદ્રતા પર સંકોચ અનુભવવા લાગ્યો.
આ તથ્ય ને અર્જુન તેથી વિશેષ ત્યારે સમજ્યો જ્યારે યુદ્ધ સમાપ્ત થયું.
પ્રત્યેક દિવસે અર્જુન જ્યારે યુદ્ધમાંથી પાછા ફરતા ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન પહેલા રથમાંથી ઉતરતા અને સારથિ ધર્મ હોવાથી અર્જુન ને પછી ઉતારતા.
યુદ્ધના છેલ્લા દિવસે રથમાંથી ઉતરતા પહેલા ભગવાને કહ્યું, 'અર્જુન, તમે પહેલા રથમાંથી ઉતરીને દૂર ઊભા રહો.'
ભગવાન શ્રીકૃષ્ણના ઉતરતા જ રથ બળીને ભસ્મ થઈ ગયો.
અર્જુન આશ્ચર્યચક્તિ થઈ ગયો.
ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું 'પાર્થ, તારો રથ ક્યારનો યે બળીને ભસ્મ થઈ ચૂક્યો હતો.'
ભીષ્મ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય અને કર્ણના દિવ્યાસ્ત્રોથી તે રથ નષ્ટ થઈ ચૂક્યો હતો. 'મારા સંકલ્પેે એને યુદ્ધ સમાપ્તિ સુધી જિવીત રાખ્યો હતો.'
પોતાની શ્રેષ્ઠતા ના મદમાં ખોવાયેલ અર્જુનનું અભિમાન ચકનાચૂર થઈ ગયું.
પોતાનું સર્વસ્વ ત્યાગીને તે ભગવાનના ચરણોમાં નતમસ્તક થઈ ગયો.
અભિમાનનો ખોટો ભાર ઉતારી ને હલકા પણ અનુભવતો હતો.
ગીતા શ્રવણમાં આથી વિશેષ શું ઉપદેશ હોઈ શકે છે. 'બધું જ કર્તાહર્તા ભગવાન જ છે, આપણે તો ફક્ત કઠપુતળી જ છીએ.'કાશ, આપણા અંદરનો અર્જુન આ સમજી જાય.
ઘમંડ જીવનમાં કષ્ટ જ આપે છે.
અહંકાર છોડો પરંતુ સ્વાભિમાન માટે લડતા રહો.
શ્રીકૃષ્ણ...