Get The App

સ્વાર્થ એ જ ધર્મ : નવી વ્યાખ્યા

Updated: Dec 10th, 2020

GS TEAM


Google News
Google News
સ્વાર્થ એ જ ધર્મ : નવી વ્યાખ્યા 1 - image


પરમાત્માને સંપૂર્ણ પણે આત્મ સમર્પણ પૂર્વક બધા જ કર્મો કરતાં રહેવા અને ફળની આશા અપેક્ષા તૃષ્ણા વગેરેને ત્યાગ કરીને રાગ દ્વેષ અને અહંકારથી મુક્ત થઈને જીવન જીવવું એ જ પરમાત્માને પામવાનો સત્ય સ્વરૂપ માર્ગ છે.

આજે આજના ધર્મોમાં જે થઈ રહ્યું છે, તેમાં તેથી સત્વગુણની કે સત્ય સ્વરૂપ ત્યાગની હસ્તી જ નથી. આથી આખા ધર્મને સ્વાર્થમાં જ ડૂબાડી દીધો છે. સ્વાર્થ એટલે જ ધર્મ એ વ્યાખ્યા થઈ ગઈ છે.

જ્યાં ધર્મમાં અહંકાર અને સ્વાર્થ, લાભ અને લોભ ત્યાં ત્યાં બીજું બધુ હાજર માત્ર પરમાત્મા ગેરહાજર જેથી દુખ ચિંતા તનાવ વગેરેની હસ્તી આજના ધાર્મીકોમાં કાયમ છે, તે જ બતાવે છે, કે આજનો ધર્મ સ્વાર્થ મુલક છે, સત્ય સ્વરૂપ ત્યાગ અને અનાસક્તિ યુક્ત નથી, પદાર્થની પકડ યુક્ત ધર્મ છે.

Tags :