સૌરાષ્ટ્રનાં સ્ત્રી સંત ગંગા સતી..!
- કન્યા પાનબાઈ, ગંગાસતીનાં સાસરે, સતીજીનાં માત્ર સેવિકા નાં રહેતાં તેઓ એક અંતરંગ સુખ અને શિષ્યા પણ બનીને રહ્યા. તો ગંગાસતીનાં પતિ કહળસંગ સ્વયં અધ્યાત્મિક સંસ્કારોનાં રંગે રંગાયેલા હતા
સૌ રાષ્ટ્રની ભૂમિ સંત, શૂરા અને સતી કહેવાયી છે. કેમકે અહીં કેટલાય વિરલ સંતો અને શૂરવીરોએ જન્મ લીધો છે. તથા અહીંજ પોતાનું કાર્ય સ્થળ રાખ્યું છે, એટલે જ તો સૌરાષ્ટ્રની ધરતીને આવું મોટું બહુમાન મળ્યું છે. પરંતુ અહીં એક એવા સ્ત્રી સંત પણ થયા છે, કે જેઓમાં એક સાથે સતીત્ત્વ, સંતત્ત્વ તથા શૂરત્વનો અનેરો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હોય, એવા હતા ગંગાસતી.
ગંગાસતીનો જન્મ ઇ.સ.૧૮૪૬માં, ભાવનગર જિલ્લાનાં પાલિતાણા તાલુકાનાં રાજપરા ગામમાં થયો હતો. એમનાં પિતાશ્રીનું નામ હતું. ભાઈજી જેસાજી સરવૈયા અને માતા હતા રૂપાળીબા. ગંગા સતીએ પ્રાથમિક શિક્ષણ એજ ગામમાં લીધેલું, જ્યારે તેમના લગ્ન અઢાર વર્ષની વયે જ સમઢિયાળા ગામનાં રાજપુત ગિરાસ ઘર કહળ સંગ કલભા ગોહિલ સાથે થયા હતા. ત્યારની એક રજપૂત પરંપરા પ્રમાણે, સાસરે જતાં, ગંગાસતી સાથે પાનબાઈ નામની કન્યાને સેવિકા તરીકે મોકલવામાં આવ્યા.
કન્યા પાનબાઈ, ગંગાસતીનાં સાસરે, સતીજીનાં માત્ર સેવિકા નાં રહેતાં તેઓ એક અંતરંગ સુખ અને શિષ્યા પણ બનીને રહ્યા. તો ગંગાસતીનાં પતિ કહળસંગ સ્વયં એક ઉચ્ચકોટિનાં અધ્યાત્મિક સંસ્કારોનાં રંગે રંગાયેલા હતા. આધ્યાત્મિક દંપતિના ગુરુ હતા. ગિરનારી સિધ્ધસંત શ્રી રામતવન. આ ધર્મપ્રેમી પતિ-પત્નિનો ગૃહસ્થ સંસાર શાંત અને સુખી હતો, એમનાં જીવનમાં ધર્મ અને અધ્યાત્મની ભરપુર સુગંધ હતી. એમના સુખીદામ્પત્ય જીવનનાં ફળ સ્વરુપે બે પુત્રીઓ થઈ, જેમના નામ હતા બાઈ રાજબા અને હરિબા.
પરંતુ આ દંપતિ અને સાથી પાનબાઈનો મોટાભાગનો સમય પ્રભુભકિત અને ભજનોમાં પસાર થતો. તેઓએ સાથે મળીને રાજપરા ગામમાં અલખ ભક્તિનો ખૂબ નાદ જગાવ્યો. એ વખતે આ ત્રિપુટીનાં ધર્મ-અધ્યાત્મની સુવાસ ચારેય દિશામાં ફેલાવા લાગી હતી. એમનાં નિવાસ સ્થાને, એમનાં દર્શન કરવા, અનેક સંતો, ભક્તો, ગૃહસ્થો, દીન દુખિયાઓની ભીડ જામવા લાગી.
એમને તે નિવાસ સ્થાન ટૂંકું પડવાથી શાંતિથી, ખલેલ વગર ભજન ભક્તિ થઈ શકે એ માટે કહળ સંગજી એ સપરિવાર ગામથી દૂર એક વાડીમાં મકાનમાં વસવાટ કર્યો.
આ વાડીમાં જ ગંગાસતીનાં ધર્મ-અધ્યાત્મની ગંગા વહેવા લાગી. એક સાધુ ભૂધરદાસજી એમની સાથે રહીને ગંગાસતીનાં ભજનોને લિપિબધ્ધ કર્યા. એ સમયે ભક્ત કહળસંગજીનાં જીવનમાં વિશિષ્ટ સિધ્ધિઓનો અહોર્ભાવ થવા લાગ્યો.
એમનાં દ્વારા એક ગાય જીવીત થઈ, પરંતુ કહળ સંગજીની સિધ્ધિનો પ્રચાર તેમનાં અધ્યાત્મજીવનમાં બાધારુપ થયો. એમણે એના પરિતાપરુપે સ્વેચ્છાએ દેહત્યાગનો નિર્ણય કર્યો.
એ વખતે ગંગાસતીએ પણ પતિ કહળ સંગજી સાથે જ મહાપ્રયાણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. પણ પતિએ એમને સમજાવ્યાં કે જ્યાં સુધી પાનબાઈની આધ્યાત્મિક શિક્ષા પૂર્ણ ન થાય, ત્યાં સુધી તમે અહીં રોકાઈ જાવ. પતિની સમાધિ બાદ ગંગા સતીએ પાનબાઈને ધર્મ-અધ્યાત્મનું શિક્ષણ આપ્યું. એમણે જે પાઠો પાનબાઈને સમજાવ્યા તેજ 'ગંગાસતી'ના ભજનો બન્યા. દરરોજ પ્રભાતે એક ભજન ગવાતું, તે પાનબાઈ સમજીને લખી લેતાં. આ ક્રમ પર દિવસ ચાલ્યો. જેમાં ત્યાગ કર્યો, તો તેના ત્રણ દિવસ પછી પાનબાઈએ પણ સ્વેચ્છાએ શરીર છોડયું.
આમ ત્રણ-ત્રણ સંત ભક્તોએ પોતપોતાના જીવન ધ્યેય પૂર્ણ થતાં જાતે જ સમાધિ લીધી. આવા સંત ત્રિપુટીની સમાધિ સમઢિયાળા ગામમાં ચૈતન્યનો ધૂપ પ્રસરાવે છે.
આવા ભક્તોનાં હૃદયમાં ભક્તિનાં પુષ્પો ખીલે અને સુવાસ ફેલાવે તે 'સંત' ગંગાસતીતો ભક્તિનાં ઘેઘુર વડલા સમાન સંત સ્ત્રી હતા. 'શૂરતા' એટલે ધ્યેય સિધ્ધિ માટે જાતનું સમર્પણ કરવું. ગંગાસતીનું પ્રભુ ભક્તિનું ધ્યેય સિધ્ધ થયું ને સમાધિ લીધી, તેઓ 'શૂર' કહેવાયા.
આમ 'ગંગસતી'માં 'સતી, સંત અને શૂરતાનો સુંદર, વિરલ, સંયોગ જોવા મળે છે.