ઋષિપંચમી (સામા પાંચમ)
ઋષિ પંચમીનું વ્રત બહેનો માટે છે. રજોદર્શન દરમ્યાન જાણે અજાણે થયેલા દોષોનું આ વ્રત સમન કરે છે. બહેનો આ દિવસે સામો ખાય છે. આથી સામા પાંચમ તરીકે આ વ્રત ઉજવાય છે. આ દિવસે ઉપવાસ કરવાનો રિવાજ છે. અરુંધતી સહિત કશ્યપ વગેરે સાત ઋષિઓને પ્રસન્ન કરવા સપ્તર્ષિઓનું પુજન થાય છે.
नमस्तो ऋषिविदम्पो देवर्षिम्पो नमों नम ।
सर्वपाप हरेम्य हि वेदविदम्पो नमों नम ।।
વેદ જાણકાર દેવર્ષિને વારંવાર નમસ્કાર કરું છું.
કશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વસિષ્ઠ એ સાત ઋષિઓ છે. આ વ્રતનો બીજો ઉદ્દેશ્ય ઋષિની પુજા સમાજે કરવી તેવો છે. સ્ત્રી જાતિ ઉપર ઋષિના વિશેષ ઉપકારો દર્શાવ્યા છે.
આદ્ય જનની સીતાનો જ્યારે રામે ત્યાગ કર્યો ત્યારે મહર્ષિ વાલ્મીકિએ આશ્રમમાં રાખી રક્ષા કરી હતી. ભારત દેશની ભરતની જનની શકુન્તલ્ય પણ ઋષિની (શકુન્તલા) છત્રછાયામાં ઉછરી હતી.
ભારતની નારી પર સતત ઋષિઓની છત્રછાયા રહે અને તેમના સંતાનોમાં ઋષિ સંસ્કારો આવે તે 'ઋષિ પંચમી'નો હેતું છે. ઋષિ પંચમીની પાછળ વિદર્ભ દેશના એક ઉત્તમ પવિત્ર બ્રાહ્મણની કથા છે. કથા વાંચવી - કથા મુજબ રજસ્વલ્ય ઋતુધર્મ પાળવો જોઈએ સ્પર્શથી દુર રહેવું આરામ કરવો ધાર્મિક માન્યતા પાળવી.
- બંસીલાલ જી. શાહ