યુવાન વયે પ્રથમ કથા જ્યાં કરી એ પુણ્યભૂમિ માલસર
'મા લસર' ગામ પૂ. ડોંગરે મહારાજની કર્મભૂમિ રહી. ૩૦ વર્ષની યુવાન વયે પોતાની પ્રથમ 'ભાગવત કથા' માલસરમાં કરી. માલસર પવિત્ર ભૂમિ છે. તેમણે પ્રતિજ્ઞાા લીધી હતી કે પ્રત્યેક વર્ષે પોતાના સદ્ગુરુ પરમહંસ માધવદાસજીની ગુરૂ પ્રતિમાના સ્થળે કથા કરવી. ડોંગરે મહારાજે જીવ્યા ત્યાં સુધી કથા કરી (લગભગ આશરે ૩૨ કથા) હાલમાં પૂ. ડોંગરે મહારાજનું માલસરમાં 'સ્મૃતિ ભવન' છે જે. 'કાશીબા'ના બંગલા તરીકે ઓળખાય છે.
નર્મદાનો પવિત્ર કિનારો વહે છે. નર્મદાનું નામ પ્રાચીન રેવા છે. 'રેવ' એટલે ઉછળવું. નર્મદા ઉછળથી કૂદતી વહે છે. 'નર્મ દદાતિ ઇતિ નર્મદા' નર્મ એટલે આનંદ મનને પ્રફુલ્લિત કરી આનંદ આપે છે. આજે 'નમામિ દેવી નર્મદા તેની સ્તુતિ થાય છે.
આમ તો આખો નર્મદાનો કિનારો તપોભૂમિ છે. જેટલા કંકર એટલા 'શંકર' મનાય છે. વડોદરાથી આસરે ૬૦ કીમી. અંતરે પવિત્ર માલસર ગામ છે. પાંડવો પણ અહીં રહેલા મનાય છે. ઔરંગઝેબ અહીં આવ્યો હતો અને ત્યાં મંગળનાથ મહાદેવને તોડવાની ચેષ્ટા કરી હતી. આ અહીં દિવ્ય પ્રભુની મૂર્તિ ઉપર ઘુમ્મટની છતમાંથી અંગારા પ્રગટ થયા. ઔરંગઝેબના સૈનિકો ભયભીત થઈ ગયા. આજે આ 'અંગારેશ્વર' મહાદેવ તરીકે ઓળખાય છે.
નૈવેધ ચડાવાથી મનોકામના પૂર્ણ થાય છે. શિવ પુરાણમાં આ (માલસર) મહાદેવનો ઉલ્લેખ છે. અહીં સત્યનારાયણનું મંદિર છે. વૃંદાવન નામનો બાગ છે. પૂ. ડોંગરે મહારાજની અંતીમ જળસમાધિ માલસરના કિનારે જ ૮-૧૧-૧૯૯૦ના રોજ સાંજે થઈ હતી. આજે આ સમાધિ સ્થળ તરીકે પૂજાય છે. આશ્રમમાં અદ્યતન નિવાસસ્થાન છે. વિશાળ સત્સંગ હોલ છે. આ હોલમાં પૂ. ડોંગરે મહારાજની દિવ્ય પ્રતિમા છે.
આશ્રમમાં અલ્પ સાધન અને ઈશ્વરાભિમુખ ભક્તોને નિવાસ માટેની સુંદર વ્યવસ્થા છે. પૂ. ડોંગરે મહારાજને પુરીના શ્રીમદ્ શંકરાચાર્યે 'ભાગવત કાનન'ની ઉપાધિ આપી હતી. ગુજરાતના ચરણ (૧૧૦૦) અગીયારસો કથાઓ કરી પુનિત ગંગા વહેવડાવનાર આવા સંત કલિયુગના વેદ વ્યાસ થઈ ગયા.
અંતિમ કથા તેમણે ૧૯૯૦ના ભાદરવા મહિનામાં જ્યાં પરિક્ષીત રાજાને મોક્ષ અપાવવા શુકદેવજીએ ભાગવત કથા કરી હતી ત્યાં કહી હતી.
છેલ્લી કથામાં તેઓ બોલ્યા હતા કે, આ મારી છેલ્લી કથા છે. તેઓ કહેતા કે ભાગવત કથામાં સાચા સુખ શાંતિ અને પરમ આનંદ મળે છે. આ ભાગવતજી પરમાત્માનું સ્વરૂપ છે.
- બંસીલાલ જી. શાહ