સ્વધર્મ જ શાશ્વત છે, સનાતની છે .
(ગતાંકથી ચાલુ...)
આ માટે આત્મિક સત્યમાં સ્થિત થઈને સત્ય ધર્મ એટલે સ્વધર્મનું પાલન કરવા માટે આત્મિક સત્ય સ્વરૂપ થઈને પુરુષાર્થ કરી અર્થો પાર્જન કરવું માંગી ભીખીને ખાવું તે શાશ્વત ધર્મમાં કે સ્વ ધર્મમાં સમાવેશ થાય જ નહીં.
આ રીતે આત્મિક સત્યમાં સ્થિત થઈને સત્ય ધર્મ એટલે સ્વધર્મનું પાલન કરવા માટે આત્મિક સત્ય સ્વરૂપ થઈને પુરુષાર્થ કરી અર્થો પાર્જન કરવું માગી ભીખીને ખાવું તે શાશ્વત ધર્મમાં કે સ્વ ધર્મમાં સમાવેશ થાય જ નહીં.
આ રીતે આત્મિક સત્ય અનુસાર પુરુષાર્થ દ્વારા જે પ્રાપ્ત થાય તેનો જીવનમાં માત્ર ને માત્ર ઉપયોગ જ કરવાનો છે. તેને ઉપભોગ એટલે પરિગ્રહનું પરિણામ જાળવીને જ જીવવાનું છે. આવું જીવન જ આત્માનો આનંદ આપે છે, જે આત્માના આનંદ હર્ષોલ્લાસમાં સ્થિત કરે તેજ શાશ્વત ધર્મ.
જે સુખ શાંતિ મળશે માંગોતે મળશે આપનાર હજાર હાથ વાળો બેઠો છે. એવા વાયદા કરે અને માગણ વૃત્તિમાં સ્થિત કરે વાસનાને વધારે દુ:ખ ચિતા ઉદ્વેગમાં સ્થિર કરે તે પાખંડ છે, ધર્મ પણ કહી શકાય નહિ, એટલું જાણો. જે આચરણ આત્માનાં આનંદમાં સ્થિત જ ન કરે તે શાશ્વત ધર્મ કે સનતન ધર્મ ગણાય જ નહિ, અને શાશ્વત ધર્મ જ એટલે કે સ્વ ધર્મ જ જાણીને આત્મિક સત્ય અનુસાર જીવન જીવાશે તો માણસને મોક્ષના દરવાજે પહોંચાડશે માણસની કામના વાસનાં તૃષ્ણા આ બધાની પૂરતી આત્મિક સત્યમાં સ્થિત થઈને જ કરવાની છે, આમ સમગ્ર જીવન જ આત્મિક સત્યના આધારે જ આત્મસ્થ થઈને હૃદયસ્થ થઈને પોતાના સ્વભાવમાં સ્વ સ્વરૂપમાં સ્થિત થઈને જ જીવવાનું છે. એનું નામ જ સ્વધર્મ છે, શાશ્વત ધર્મ છે, આમ શાશ્વત ધર્મ એટલે જ્ઞાાન અને મોક્ષ મુક્તિનો ઉદેશ ધરાવે છે આત્મિક સત્યનું આચરણ જ પ્રેમસત્ય સમતા સ્થિતપ્રજ્ઞા સજાગતા, જાગૃતિ પ્રજ્ઞાા અને ચૈતન્યની અનુભૂતિ તરફ લઈ જાય છે. આમ જેઓ સાચા અર્થમાં સનાતન ધર્મના આંતર ભાવને અનુસરે છે, તે જ સનાતની છે, આમ સનાતન ધર્મ એ કોઈ સંપ્રદાય નથી કોઈ પંથ નથી તે એક આત્મિક સત્ય સ્વરૂપ થઈને સ્વભાવ અનુસાર જીવન જીવવાની સત્ય આધારિત પ્રવૃત્તિ જ છે.
આમ સ્વધર્મ અનુસાર જીવન જીવવું એ જ શાશ્વત ધર્મ છે. આવા સનાતન ધર્મ કે શાશ્વત ધર્મની આજના પંથો સપ્રદાયો સાચા સત્ય સ્વરૂપ શાશ્વત સનાતન ધર્મમાં ગણી શકાય જ નહિ પણ આજના ધાર્મિકો પોતે જ પોતાના આત્મિક સત્યમાં સ્થિર નથી એટલે શાશ્વતના ગપગોળા ચલાવે છે અને આર્થિક લાભો મેળવે છે ધર્મ એ ધંધો નથી, પણ અંતરને શુધ્ધ કરવાનો સત્ય સ્વરૂપ માર્ગ છે અને પરમ આનંદ પામે છે જે જીવનનો હર્ષોલ્લાસ સંતોષ તૃપ્તિ અને પુર્ણતા પામે છે એ જ શાશ્વત ધર્મ, સનાતનધર્મ, સત્ય ધર્મ, આત્મ ધર્મ, અને શુધ્ધ ધર્મ, જે આત્માના હર્ષોલ્લાસમાં સ્થિત કરે છે. (પૂર્ણ)
- તત્વચિંતક વી પટેલ