Get The App

નવું વર્ષ- નૂતન વર્ષારંભ બલિપ્રતિપદા- દિવસ

Updated: Nov 22nd, 2023

GS TEAM


Google News
Google News
નવું વર્ષ- નૂતન વર્ષારંભ બલિપ્રતિપદા- દિવસ 1 - image


- નવાવરસનો સંક્લ્પ નવો કરી જીવન વિકસાર્થે નવી પ્રવૃત્તિથી પોતાની જાત, ઘર-સમાજ, તથા દેશના વિકાસનો દૃઢનિર્ધાર કરવો એજ નવા વર્ષની પ્રાર્થના છે

- 56 ભોગ : યશોદામૈયા ભગવાન બાલકૃષ્ણને દિવસમાં 8 - આઠ વાર ભોજન કરાવતા હતા. ભગવાને ગોવર્ધન પર્વત સાત દિવસ ઉપાડયો હતો. તે સાત દિવસ તેઓ શ્રી ભોજનવિના રહ્યા હતા, સાત દિવસ પછી તેઓ ગોવર્ધન પર્વતને નીચે મુકી ઘરે પાછા ફર્યો ત્યારે યશોદામયા 56 પ્રકારનો ભોજન બનાવી આપ્યા હતા. 8ટ૭=56 આથી ભગવાનને 56 ભોગ ધરવામાં આવે છે. આથી આપણે આ દિવસે ભગવાનને ઘરેલા 56 ભોગનાં દર્શન કરીને કૃતાર્થી અનુભવીએ છીએ.

(56 ભોગનું મહત્વ)

કા રતક સુદ એકમના દિવસે વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થયું છે. તેથી તેને આખા વરસનું પ્રભાત ગણાય છે.

આ પડવાના દિવસે જે માણસ, પ્રભુ, પ્રાર્થના, સાથે હર્ષમાં રહે છે. તેનું આખું વર્ષ હર્ષામાં જાય છે અને જે શોકમાં રહે છે તેનું આખુ વર્ષ શોકમાં જાય છે.

यो यादशेन भावेन तिष्ठयातस्या युधिष्ठिर ।

हर्ष दैन्याविऱुपेण तस्य वर्ष प्रयाति वै ।।

(વ્રતરાજ)

બલિરાજા અસુર હતો.

પરંતુ તેનામાં પણ ઘણા ગુણો હતા. દરેક માણસમાં ગુણ-દોષો બન્ને હોય છે પણ તેના ગુણોનું પુજન કરવું જોઈએ. અવગુણો જોવા ન જોઈએ.

ભગવાને વામનનું સ્વરૂપ લઈ બલિરાજાનું અભિમાન ત્રણ ડગલા માંગીને તોડયું હતું. વિષ્ણુ વામન થઈને બલિરાજાનાં યજ્ઞામાં જઈ વિરાટ સ્વરૂપ લઈને ત્રણ ડગલા જમીનો માંગી- બલિરાજાએ તેની સાથે સુલેહ કરવી પડી. વામને ત્રણ શરતો મૂકી (૧) શિક્ષણતંત્ર બ્રાહ્મણોનાં હાથમાં સોપવું. (૨) રાજયભાર ઇશ્વરવાદી ક્ષત્રિયોના હાથમાં સોંપવો. (૩) રોજગાર ઇશ્વરને માનનારા સાત્વિક વૈશ્યોના હાથમાં સોંપવો. આજ ત્રિપદા-ત્રણચલ ભૂમિની માંગણીથી બલિરાજા ખલાસ થયો. તેણે પોતાના અસ્તિત્વ વિશે શંકા પ્રગટ કરતા ભગવાને તેને પુષ્કળ ધન સંપતિ આપીને દક્ષિણમાં-સુતલમાં મોકલી આપ્યો અને ભગવાન પોતે એના દ્વાર-રક્ષક થઇને રહ્યા. અર્થાત બલિને રાજકેદી (State Prisioner)  તરીકે નજર-કેદ (protective custody) માં રાખ્યો.

ભોગ અને સ્વાર્થને છોડીને બીજો કાંઈ વિચાર જ માણસ ન કરતો હોય તો તેનું નવું વર્ષ શરૂ થયું. એમ કહી શકાય. ભગવાન બલિરાજાનાં દ્વારપાલ થયા તે દિવસ એટલે બલિપ્રતિપદા દિવસ નવાવરસનો પહેલો દિવસ ગુણ પૂજનનું પ્રતિક એટલે નવા વર્ષનો મંગળ પ્રારંભ. આ તો થઈ અતિપ્રાચીનવાત....

પરંતુ ત્યારબાદ હજારો વર્ષ પછી પર દુઃખ ભંજન સમ્રાટ વિક્રમાદિત્યે કાશ્મીર ઉપર હુમલો કરનાર હસ્યુઓને અતુલ પરાક્રમ દેખાડી તેમને ભારત બહાર તગડી મૂક્યા હતા. તે વિજયના ઉપલક્ષ્યમાં તે દિવસથી તેમની યાદમાં વિક્રમ સંવતનો પ્રારંભ થયો. તે જ દિવસ એ આપણું બેસતુ વર્ષ. જેને આપણે વિક્રમ સંવત્સર તરીકે ઓળખીએ છીએ. હાલ આ વિક્રમ સંવત ૨૦૭૯ ચાલે છે.

ભર્તુહરિ, તેમના મોટાભાઈ હતા. અને તેમણે વૈરાગ્ય લીધા પછી અવંતિકા (ઉજજૈન)ની ગાદી ઉપર વિક્રમાદિત્યનો રાજ્યાભિષેક થયો.

મહારાષ્ટ્રમાં જેમ શક્રસંવતના પ્રથમ દિવસ-એટલે ગુડીપડવાનું મહત્ત્વ છે. તે રીતે મોટા ભાગના ભારત દેશમાં મહાકાલેશ્વર (ઉજ્જૈન)ના પરમ ઉપાસક વિક્રમ આદિત્યના નામે વિક્રમસંવતનું મહત્વ છે.

જૂના હિસાબ પૂરા કરવાનો આ દિવસ છે. શુભ સંકલ્પનું પ્રતિક એટલે બેસતું વર્ષ-દિપોત્સવીનાં દિવસે પ્રગટાવેલ જ્ઞાાન દિપકનાં પ્રકાશમાં જીવનની રાહ શોધી લઈ બેસતા વર્ષના મંગલ પ્રભાતે, શુભ સંકલ્પ કરી તે રાહે મક્કમતાથી ચાલવાનો પ્રયાસ કરવાનો આ મંગળ દિવસ છે.

તે દિવસે નવા વર્ષની શુભેચ્છાઓ વ્યક્ત કરવાની, વેર-ઝેર ભૂલી જઈ મોઢું મીઠું કરી અદમ્ય ઉત્સાહ અને સ્ફૂર્તિથી જીવનને આગળ વધવાનો દિવસ એટલે નવુવરસ અને દૂરનાં સ્નેહીઓને પત્રદ્વારા શુભેચ્છાઓ પાઠવવાનો દિવસ.

નવાવરસનો સંક્લ્પ નવો કરી જીવન વિકસાર્થે નવી પ્રવૃત્તિથી પોતાની જાત, ઘર-સમાજ, તથા દેશના વિકાસનો દૃઢનિર્ધાર કરવો એજ નવા વર્ષની પ્રાર્થના છે. વિકાસની કંઈક આવી દૃષ્ટિથી વીતેલા વર્ષનાં લેખા-જોખા કરવાનો દિવસ એટલે બલિપ્રતિપાદનો નવા વર્ષનો દિવસ. અને વિકાસશીલ નવા દૃઢ સંકલ્પો કરવાનો દિવસ. આ બધુ થાય તો સાચા અર્થમાં નુતનવર્ષનાં વધામણા થયા ગણાય.

- ગોવર્ધનપૂજા-અન્નકૂટ :- બલિપ્રતિપદા- નુતનવર્ષનો પહેલો દિવસ એટલે ગોવર્ધન પૂજાનો દિવસ.

ભગવાન શ્રીકૃષ્ણએ ઇન્દ્રયાગ-ઇન્દ્રપૂજા બંધ કરાવી ગિરિરાજ ગોવર્ધનની પૂજાનું આયોજન કર્યું. આ એક પ્રકૃતિની પૂજા છે. ઇન્દ્રત્યાગ બંધ થયો. અને ગોવર્ધન પૂજાનો પ્રારંભ થતા જ ઇન્દ્રનું માન મર્હત થયુ. તેણે પોતે કોપાયમાન થઈ પોતાના મેઘનાં ગણોને મહાપ્રલયનું જળ વરસાવી સમસ્ત વ્રજને ડૂબાડી દેવાની આજ્ઞાા કરી.

ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે પોતાના ડાબા હાથથી ગિરિરાજને અદ્વર ઉપાડી લીધો અને ભયભીત થયેલા વ્રજવાસીને અને ગાયોને નીચે બોલાવી રક્ષણ કર્યું. તે દિવસથી ગોવર્ધન પૂજાનો મહિમા વધ્યો. અને નુતન વર્ષના આરંભમાં એ પૂજા વિધિ પ્રચલિત થઈ. તે ગોવર્ધન નાથની જય જય થવા લાગી.

તેજ દિવસે વ્રજવાસીઓએ ઉત્સવ મનાવી ગિરિરાજનું પૂજન કર્યું. ઘેર ઘેરથી મિષ્ઠાન્ન લાવી વિવિધ ભોજનની વાનગીઓ ધરી- જાણે કે નાનકડો અન્નકૂટ થઈ ગયો. અને તે ભગવાને આરોગ્યા હતો. (ગર્ગસંહિતા ૨-૧૬)

- ૫૬ ભોગ : યશોદામૈયા ભગવાન બાલકૃષ્ણને દિવસમાં ૮ - આઠ વાર ભોજન કરાવતા હતા. ભગવાને ગોવર્ધન પર્વત સાત દિવસ ઉપાડયો હતો. તે સાત દિવસ તેઓ શ્રી ભોજનવિના રહ્યા હતા, સાત દિવસ પછી તેઓ ગોવર્ધન પર્વતને નીચે મુકી ઘરે પાછા ફર્યો ત્યારે યશોદામયા ૫૬ પ્રકારનો ભોજન બનાવી આપ્યા હતા. ૮ટ૭=૫૬ આથી ભગવાનને ૫૬ ભોગ ધરવામાં આવે છે. આથી આપણે આ દિવસે ભગવાનને ઘરેલા ૫૬ ભોગનાં દર્શન કરીને કૃતાર્થી અનુભવીએ છીએ.

આમ ઇન્દ્રનું અભિમાન તોડયું. આ અભિમાન અટકાવવા બ્રહ્મજ્ઞાાન અને ભક્તોનું માન વધારવાનો પ્રસંગ છે. ગો શબ્દના સંસ્કૃતમાં અનેક અર્થો છે. તે પૈકી એક અર્થ સરસ્વતી પણ થાય છે. એટલે બ્રહ્મજ્ઞાાનનાં વર્ધનનું પૂજન એટલે ગોવર્ધન પૂજન ગણાય. અને આમ ઇન્દ્રિયાગ બંધ કરાવી લોકોએ શ્રમનું પૂજન કર્યું. આ કૃષ્ણનો સંદેશ તેના ભક્તો માટે માનવીનાં પુરુષાર્થનું પૂજન થવું જોઈએ એવો સંદેશ ભગવાન શ્રીકૃષ્ણએ આપણને સહુને  આપ્યો.

ગો એટલે પૃથ્વી-પણ થાય. રાષ્ટ્રના માટે ભૂમિ માટે તથા ગાયોની ઉન્નતી માટે. વિકાસ માટે સંગઠિત થઈને પ્રયત્ન શીલ રહેવું એ ગોવર્ધનપૂજાનો સંદેશ છે.

ટૂંકમાં ગોવર્ધનપૂજાનું ભક્તિની દૃષ્ટિએ, સંસ્કૃતિની દૃષ્ટિએ તથા ઉપયુક્તાની દૃષ્ટિએ મહત્વ છે. અને તેનું હાર્દ સમજી નૂતનવર્ષના પ્રારંભમાં ગોવર્ધન પૂજા થાય તે ઇચ્છનીય છે.

- ભાઈબીજ- આ પર્વોનાં ઉત્સવના છાકમાં સ્ત્રીનું પાવિત્ર્ય ભુલાવું ન જોઈએ. ભાઈબીજનો દિવસ સમગ્ર સ્ત્રી સમાજ તરફ જોવાની પવિત્ર દૃષ્ટિ કેળવવાનો દિવસ છે. સ્ત્રી એક મોટી શક્તિ છે. તેના સન્માનનો તે દિવસ છે. તેના પ્રત્યે શુભ દૃષ્ટિ કેળવવાનો દિવસ એટલે ભાઈબીજનો દિવસ.

દરેકને નવા વરસનાં નમસ્કાર સાથે.

- ડો.ઉમાકાંત જે.જોષી

Tags :