નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી
ભ ગવાન કૃષ્ણને ડાકોરમાં રણછોડરાય તરીકે પૂજાય. દ્વારિકામાં દ્વારિકાધીશ તરીકે પૂજાય ગોકુળમાં 'મારો લાલો' સ્વરૂપે પૂજાય. શ્રીનાથજીમાં શ્રીજી સ્વરૂપે, ઓળખાય, પુષ્ટિમાર્ગમાં બાલકૃષ્ણ લાલ કે જય જય ગોકુલેશ દ્વારા ઓળખાય.
આ બધામાં કૃષ્ણ તત્ત્વ એક જ છે. તમો ગમે તે ભાવે, ગમે તે નામે ભજી લો કૃષ્ણનો પ્રેમ વરસાદ તમોને ભીંજવશે જ. જન્માષ્ટમી પ્રત્યેક વર્ષે આવે છે પણ સાત્ત્વિક ભક્તોનો ભાવ આજે જન્મ્યા હોય તેવો લાગે છે. જન્માષ્ટમી આનંદ આપે છે.
બધા હવેલીમાં, મંદિરોમાં નાચી ઉઠે છે. બધા ગાય છે.
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલાકી !
ભારતમાં આ તહેવારનું અનેરું માહાત્મ્ય છે. લૌકિક જગતમાં ઘેર બાળકનો જન્મ થાય તો ઘરમાં કેવો આનંદ થાય છે. લોકો પેંડા વહેંચે છે આ તો જગતના નાથનો પ્રાક્ટય મહોત્સવ.
ભગવાન શ્રી કૃષ્ણનું નામ કલિયુગમાં હતાશા માનસિક ટેન્સન નિરાશા દુઃખમાં આનંદ આપનારું છે.
પુરાણો અઢાર છે પણ તેમાં શ્રીમદ્ ભગવત્જીમાં દશમ સ્કંધમાં શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન-દિવ્ય છે. તે મોક્ષ આપનારું છે.
શ્રીમદ્ ભાગવતજી એટલે ઠાકોરજીનું હ્ય્દય.
ભગવાન શ્રી કૃષ્ણની પરમ પ્રાપ્તિ અને દર્શન માટે ભાગવતજી વાંચવા જ પડે.
ભગવાન શ્રી કૃષ્ણ ઉપર હજારો પદો, ભજનો, કીર્તનો લખાયાં છે બધા જ ભગવાનની લીલાઓના ગુણગાન ગાય છે. આખરે જીવ પ્રભુની પ્રેમલક્ષણા ભક્તિ દ્વારા જ શ્રી કૃષ્ણને ઘેર બોલાવવા સમર્થ થઈ શકે.
બધી લાલાઓમાં બધાને બાળલીલાઓ ખૂબ ગમે છે. શ્રી કૃષ્ણનું બાલસ્વરૂપ મોહક છે. તેથી નંદ મહોત્સવ પ્રિય લાગે છે.
ગોકુલ એટલે ઈન્દ્રિયોનો સમુહ 'ગો' અર્થમાં ઈન્દ્રિયોનો સમાવેશ થાય છે.
નંદ એટલે જે આનંદ.
યશોદા એટલે યશ દેનાર સદ્રતિ ગોકુલમાં નંદ યશોદાનું સ્વરૂપ ભગવાન. કૃષ્ણને આનંદ આપનારું બન્યું અને ભગવાન કૃષ્ણનું સ્વરૂપ જગતને પ્રત્યેક જન્માષ્ટમી આનંદ આપે છે.
ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા શ્રી યમુનાજી ભક્તિના પ્રતીક બન્યા આમેય શ્રી યમુનાઝી ભગવાન શ્રી કૃષ્ણના ચર્તુથ પ્રિયા છે.
જન્માષ્ટમીએ નાગદમન, પૂતના વધ, ગોવર્ધન પૂજા, માખણલીલા, ગોપી ગીત, સુદર્શન ચક્ર ભગવાનના વૃંદાવનની વેણુ, વેણુ યાદ આવે જે.
વૃંદાવનમાં 'રાધા' નું મહત્વ વધારી ભગવાન શ્રી કૃષ્ણે રાધાનો મહિમા વધાર્યો છે. વૃંદાવનમાં સૌ ગાય છે.
રાધા કે બિના શ્યામ આધા, બોલો રાધેશ્યામ !
જન્માષ્ટમી એટલે ગોકુલ, મથુરા, વૃંદાવન, દ્વારકા, ડાકોર, નંદગાવ, ગોરવર્ધનની યાદ અપાવતું પર્વ.
ગોકુળમાં દિવાળી એટલે કૃષ્ણ પ્રેમની જન્માષ્ટમી.
- બંસીલાલ શાહ