સ્વામી વિવેકાનંદનાં પ્રેરક સૂત્રો, ઘટનાઓ (ઉપદેશામૃત)
- સ્વામિ વિવેકાનંદજી નાના હતા ત્યારે તેની માતાએ તેમની પાસે ચાકુ માંગ્યું. તેમણે ચાકુની ઘારવાળો ભાગ પોતાના હાથમાં પકડીને તેને પકડવાનો ભાગ તેની માતા તરફ રાખીને ચાકુ માતાને આપ્યું. ત્યારે તેની માંએ પૂછયું, 'બેટા આમ કેમ?' ત્યારે વિવેકાનંદે કહ્યું, 'બા તને ચપ્પુને ઘાર વાગી ન જાય તે માટે !'
- ઈશ્વરે દરેકને પોતપોતાની ઉર્જા-શક્તિ આપેલી છે તેને ખોટી રીતે વ્યર્થ કરવી ન જોઈએ , ક્યારેય તેનો ઉપયોગ ખોટા કામોમાં કરવો ન જોઈએ. આ ઉર્જાને ખોટી રીતે ઉપયોગ કરવાથી તે આપણને બરબાદી તરફ લઈ જશે
સ્વામી વિવેકાનંદ કહેતા કે દૂનિયા પહેલા સારી વાતો-ક્રિયાઓને હંસી કાઢે છે. પછી તેનો વિરોધ કરે છે. અને પાછળથી તેનો સ્વિકાર કરે છે. વિખ્યાત આધ્યાત્મ ગુરુ વિવેકાનંદજીનો જન્મ ૧૮૬૩માં ૧૨ જાન્યુઆરી એ થયો હતો. અને જુલાઈ ૧૯૦૨માં દૂનિયા છોડી ચાલ્યા ગયા. આ ૪૦ વરસનાં ગાળામાં તેમણે વિશ્વવિખ્યાતની સિધ્ધિ પ્રાપ્ત કરી લીધી હતી. તેમણે જીવન જીવવાની કેટલીક વાતો-દ્રષ્ટાંતો સહિત કરેલી જે આપણી જીંદગી ને બદલી શકે છે. ૧૮૧૩માં સિકાગોની તેની યાત્રા હિન્દુ ધર્મનો પ્રચાર માટે ખૂબ મહત્ત્વની બની ગઈ તેમનું મારા વ્હાલા ભાઈઓ, અને બહેનોનું સંબોધન સહુના હ્ય્દયમાં વસી-પ્રેમભાવ જગાડયો હતો. જેમાં તેને માત્ર બે જ મિનિટ ભાષણ માટે સમય આપવામાં આવ્યો હતો. જે જીવન ભર તેમની પ્રતિભા તથા હિન્દુધર્મની પ્રતિભાને ઉજવળ કરી બતાવી હતી. જેણે સનાતન ધર્મની સ્થાપના રામકૃષ્ણ મિશનના રૂપમાં પ્રચલિત કરી હતી. તેમાના ગુરુદેવશ્રી રામકૃષ્ણ પરમહંસનાં તેઓ ખાસ અને વહાલા શિષ્ય હતા.
- વિવેકાનંદના ઉપદેશો: માનવોમાં દયાના ભાવો હોવા જોઈએ. (જીવનના પ્રસંગો) પ્ ષ્હ્રી દ્વ્ હ્રહલ્ ર્ંદ્બ ળ આ સૂત્ર તેમના જીવનનું મુખ્ય ઉપદેશાત્મક હતું. એકવાર સ્વામિ વિવેકાનંદજી નાના હતા ત્યારે તેની માતાએ તેમની પાસે ચાકુ માંગ્યું તો તેમણે ચાકુની ઘારવાળો ભાગ પોતાની હાથમાં પકડીને તેને પકડવાનો ભાગ તેની માતા તરફ રાખીને ચાકુમાં ને આપ્યું ત્યારે તેની માંએ પૂછયું કે બેટા આમ કેમ ? ત્યારે વિવેકાનંદે કહ્યું બા-તને ચપ્પુને ઘાર વાગી ન જાય તે માટે ! ''માં''એ કહ્યું કે બેટા તું મોટો થઈને મહાન કાર્યો કરીશ અને ઘણા લોકોનો પ્રેમ પણ પામીશ. ત્યારે વિવેકાનંદજીએ તેની માતાને પૂછયું.... કેમ ? ત્યારે માં એ કહ્યું કે તારામાં બીજાના હિતનો વિચાર સમાયેલા છે. તું નાનો છે છતાય આવા મહાન વિચારો ધરાવે છે.... માટે વિવેકાનંદજીનું જીવન આપણે આ નાની એવી ઘટનાથી ખ્યાલમાં આવે છે કે તેનામાં કેટલી દયા અને બીજાના હીતનો વિચાર સમાયેલો છે. જીવનને મજબૂત કરવા માટે, મોટા ફેસલા લેવા માટે આપણે માનસિક રૂપે મજબૂત બનવું ખૂબ જ જરૂર છે. જીંદગીમાં દરેક ક્ષણ આપણને સાનુકુળ નથી હોતી, ખુશી પણ દરેક ક્ષણે આપણને મળતી નથી. ક્યારેક જીવનમાં એવી પણ ભારે મુશ્કેલીઓ આવે છે. તેનો મુશ્કેલથી સામનો પણ કરવો પડે છે ત્યારે એવું પણ બને કે આપણે જીવનથી હારી જઈએ છીએ. જેઓ માનસિક રીતે મજબૂત હોય છે. તેઓ તે મુશ્કેલીઓમાંથી બહાર નીકળી જાય છે માનસિક રૂપે મજબૂત થવા માટે વિવેકાનંદજીએ આઠ નિયમો આપેલા.
- માનસિકરૂપે મજબૂત બનવાનાં આઠ નિયમો: જીવનને ઉન્નતી ઉપર લાવવા માટે તથા જીવનનાં માર્ગ સફળ બનાવવા માટે સ્વામિવિવેકાનંદજીએ આઠ નિયમો બતાવ્યા છે. જે આપણને સહુને જીવનમાં પથ દર્શક બની રહેશે. શિષ્યનાં પૂછવાથી માનસિક રૂપે મજબૂત બનવાના ઉપાયોમાં વિવેકાનંદજીએ કહ્યું.
(૧) જ્યારે આપણે કંઈપણ વિચારીએ ત્યારે તે સૌપ્રથમ મગજમાં જન્મે છે. અને તેની અસર આખા શરીર ઉપર થાય છે જ્યારે આપણે કોઈ દુઃખવાળી વાતો વિચારીએ ત્યારે આપણું શરીર શીથીલ થઈ જાય છે. ઢીલું પડી જાય છે અને શરીરની ઉર્જા પણ ઘટી જાય છે. પરંતુ જ્યારે આપણે સુખી આનંદમાં હોઈએ ત્યારે શરીરમાં સારી અને સ્ફુર્તિવાળી ઉર્જા ઉત્પન્ન થાય છે અને માનસિક રૂપે મજબુત બની જઈએ છીએ. આ પહેલો નિયમ છે.
(૨) વિવેકાનંદજી કહે છે કે સૂર્ય કઈ દિશામાં ઉગે છે ? શિષ્યોએ કહ્યું પૂર્વ દિશામાં! સ્વામિજીએ કહ્યું કે હું કહું કે પશ્ચિમ દિશામાં.... તો શું તમે માની શકશો... અને ધારોકે વરસાદ આવી રહ્યો છે. તો તે શું આપણા કહેવાથી તે બંધ થશે.... શિષ્યો કહ્યું ''ના'' ગુરુદેવ... અને હું કહું કે ઠંડીની ઋતુમાં ગરમી પડવા માડે તો તમે માની લેશો ? શિષ્યોને એ કહ્યું ના ગુરુદેવ! આવું ક્યારેય ન બની શકે! આ પ્રકૃતિ ઉપર નિર્ભર હોય છે. આપણી ઈચ્છા પ્રમાણે નહીં... સ્વામિએ કહ્યું કે જે ઘટનાઓ ઘટી ગઈ છે. તેનો વિચાર કરવાથી તે બદલી શકાતી નથી... તો એના વિચારો છોડી દેવા જોઈએ. આ ઘટનાઓને ભૂલી જવાના પ્રયત્નો કરવા જોઈએ.
(૩) 'ધ્યાન' કરવું અને તે ભૂલી જવું. ધ્યાન કરવાથી આપણી દરેક વાસનાઓ આપણા નિયંત્રણમાં રહે છે. બહુ વધુ બીજા ઉપર આધાર ન રાખવો. જ્યારે આપણે જન્મ લઈએ છીએ ત્યારે વાસનાઓથી મુક્ત હોઈએ છીએ પછી ધીરે ધીરે આ સંસારની મોહમાયામાં વાસનાઓથી ઘેરાઈ જઈએ છીએ અને ખૂબ પરેશાનીઓથી ઘેરાઈ જઈએ છીએ અને જુદા જુદા લોકો પાસે જુદી જુદી આશાઓ રાખતા થઈએ છીએ અને તે આશાઓ દુઃખનું કારણે બને છે. જેમ તે આશાઓ પૂર્ણ થતી નથી તેમ તેમ વધુ અને વધુ દુઃખી થઈએ છીએ. આથી સાંસારિક કે ભૌતિક જીવનમાં બહુ કોઈની આશાઓ ઉપર ન રહેવું.
(૪) કોઈ કામમાં નિષ્ફળ થવાથી ડરવું જોઈએ નહીં. જીંદગીમાં તે માણસ હમેંશા અસફળ રહે છે જે પોતાના લક્ષ્યને નિષ્ફળતા મળવાથી મુક્ત કરી દે છે આ ડર જીવનમાંથી કાઢીને સતત પોતાના લક્ષ્ય તરફ હિમતથી આગળ વધવુ જોઈએ. કારણ કે ડર એ પોતાના આત્મબળને નબળું પાડી દે છે, વિશ્વાસને નબળો પાડી દે છે. આ નિષ્ફળતા તે સતત અસફળતા તરફ લઈ જાય છે. નિષ્ફળતાનાં વિચારોને કાઢીને સફળતાનાં વિચારો-આશાઓ તરફ નિરંતર પ્રયત્નશીલ રહેવું જોઈએ.
(૫) પોતાની જાતને ક્યારેય નબળી ન સમજવી. જેટલી જાતને મજબુત બનાવશો તેટલી હોંશિયારી જીવનમાં આગળ વધવાની મનમાં આવશે. આ મનની શક્તિ ઘટાડી દે છે. આત્મબળ અને આત્મવિશ્વાસને તે ક્રમજોર કરી દે છે. ઈશ્વરે દરેક કાર્યો માટે તે મુજબની શક્તિ તેમાં આપેલી છે. જેમ કે ગરોળી ઝાડ ઉપર ચઢી શકે છે હાથી નહીં. કારણ કે હાથીને ઝાડ ઉપર ચઢવાની શક્તિ ઈશ્વરે આપી જ નથી. બસ આજ વાત સમજવાની આપણને જરૂર છે. દુનિયાનાં સિધ્ધ પુરુષો જે કરી રહ્યા છે તે દરેકનો વિચાર આપણે કરવાની જરૂર નથી આપણે આપણી પ્રતિભા અને શક્તિનો વિચાર કરીને કાર્યો કરવા જોઈએ. અને એ પ્રમાણે કાર્યો કરવાથી જરૂર સફળ થશો જ.
(૬) આપણે આપણી ઉર્જા-શક્તિને ખોટી રીતે વ્યર્થ કરવી ન જોઈએ ઈશ્વરે દરેકને પોતપોતાની ઉર્જા-શક્તિ આપેલી છે. ક્યારેય તેનો ઉપયોગ ખોટા કામોમાં કરવો ન જોઈએ. આ ઉર્જાને ખોટી રીતે ઉપયોગ કરવાથી તે આપણને બરબાદી તરફ લઈ જશે. આથી આપણી ઉર્જા-શક્તિને આપણા ઉચ્ચ ધ્યેયમાં ઉપયોગ કરવો જોઈએ. જો પૂરી શક્તિને પૂરા ધ્યેયથી ઉપયોગ કરશો તો જરૂર સફળતાને પ્રાપ્ત કરશો. તેમા શંકા નથી. પરંતુ તે ઉર્જાને બીજા ખોટા કામમાં ઉપયોગ કરશો તો તે ઉર્જા શક્તિ વિખરાઈને નિષ્ફળતા તરફ લઈ જશે. અને ક્યારેય આપણા ધ્યેય સુધી પહોંચવા દેતી નથી.
(૭) સાંભળવું બધાનું પણ કરવું આપણા મનનાં શુભ વિચારોથી. પહેલા એ વિચારવું જોઈએ કે આપણામાં કેટલી શક્તિ છે. કેટલી ક્ષમતા છે. અને એ ક્ષમતા પ્રમાણે આપણે આપણા ધ્યેય મુજબ કાર્યો કરવા પ્રયત્નો કરવા જોઈએ પછી ભલે લાખો લોકો કહે કે આ તમે નહીં કરી શકો, ભલે આપણી નિંદા કરે પરંતુ તેના ઉપર ક્યારેય ભરોશો રાખશો નહીં અને ક્યારેય તેના નબળા વિચારોને જીવનમાં ઉતારવા નહીં. કારણે શરીર અને મન તે આપણું છે કોઈ બીજા આપણી શારીરિક કે માનસિક શક્તિને જાણી શકતું નથી. કોઈનાં વિચારો ઉપર ચાલવું નહીં. કારણ કે તેઓ આપણી શક્તિને જાણવાથી ઉત્તમ વિચારો ઉત્તમ મહાપુરુષોનાં જીવનને યાદ કરી ક્ષમતા કેળવીને હમેશા ધ્યેય ને વળગીને કાર્યો કર્યા કરવા જોઈએ. નબળા વિચારો કદી સફળતા આપતા નથી. આપણે આપણી શારીરિક-માનસિક શક્તિનો જ હંમેશા વિચાર કરવો જોઈએ અને ક્ષમતા ઓછી હોય તો તેને વધારવાનો હંમેશા પ્રયત્ન કરવો.
(૮) બોલવાનું ઓછું કરી આપણે આપણા કાર્યોમાં ધ્યાન રાખવું જોઈએ. જે વ્યક્તિ બહુજાજુ અને મિથ્યા બક બક કરે છે તે પોતાની ઉર્જાને નષ્ટ કરે છે. જે બહુ બોલે છે તે ઓછુ વિચારે છે. જો ઓછું બોલે અને પોતાના કામમાં એકાગ્રતા કેળવે તો તે માનસિક રૂપે મજબુત બની પોતાના કાર્યોમાં સફળ થાય છે. પણ એક વાત અહીં જાણવી જોઈએ કે સારૂં-સત્ય અને હિતકારી બોલવું પણ ખૂબ જરૂરી છે. તેનાથી પોતાનું સમાજનું અને રાષ્ટ્રનું કલ્યાણ થાય છે. સકારાત્મક વાણી-વર્તન વિચાર જીવનને ઉર્ધ્વગામી બનાવે છે.
- ડૉ. ઉમાકાંત.જે. જોષી