Get The App

ભગવાન ગણેશજીનો મયુરેશ્વર અવતાર

Updated: Apr 26th, 2023

GS TEAM


Google News
Google News
ભગવાન ગણેશજીનો મયુરેશ્વર અવતાર 1 - image


- જ્યારે અષ્ટ વિનયાકની યાત્રા ભક્તજનો કરે છે ત્યારે તે સ્થાનોમાં ગિરિજાત્મજ ભગવાન ગણેશજીના દર્શન કરે છે. આઠ સ્થાનો છે ભગવાન ગણેશજીના જે મહારાષ્ટ્રમાં જ છે. જેમાં ગિરિજાત્મજ સ્વરૂપ જે ભગવાન ગણેશજીનું છે તે લ્હેણાદ્રીમાં છે 

ભ ગવાન ગણેશજી એ અનાદિ દેવ છે. ચારેય યુગમાં ભગવાન ગણેશજીના ચાર સ્વરૂપો છે. સતયુગમાં ભગવાન ગણેશજી મહોત્કટ વિનાયક સ્વરૂપે છે, ત્રેતાયુગમાં મયુરેશ્વર સ્વરૂપે છે, દ્વાપર યુગમાં ગજાનન સ્વરૂપે છે અને કલિયુગમાં ભગવાન ગણેશજી ધુમ્રકેતુ સ્વરૂપે છે. ભગવાન ગણેશજી એમેણ ત્રેતાયુગમાં મયુરનો  સ્વકાર કર્યો માટે મયુરેશ્વર કહેવાયા.

ગણેશ પુરાણ અનુસાર જોઈએ તો કાર્તિક સ્વામિને મયુર ભગવાન ગણેશજીએ જ આપ્યો. ભગવાન ગણેશજીએ મયુર ઉપર સવારી કરી એટલે મોરિયા પણ કહેવાયા. આપણે ભાવ અને શ્રદ્ધાથી કહીએ છીએ કે, 'ગણપતિ બાપ્પા મોરિયા.'

મયુરેશ્વર અવતારમાં ભગવાન ગણેશજીએ ચક્રપાણિ રાજાના પુત્ર સિંધુ દૈત્યનો વધ કર્યો. કથા પ્રસંગ એવો છે કે, શૌનકજીએ ચક્રપાણિ રાજાને આશિર્વાદ આપ્યા કે તમને પ્રતાપી પુત્ર થશે. તમે સૂર્યનારાયણ ભગવાનનું વ્રત કરો. રાજા ચક્રપાણિ અને ઉગ્રા મહારાણીએ સૂર્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. એ વ્રતના પ્રભાવથી ઉગ્રા મહારાણી સગર્ભા થયા પણ સૂર્યનારાયણ ભગવાનના તાપને સહન કરી શક્યા નહિં માટે, સમુદ્રમાં જ ગર્ભનો ત્યાગ કર્યો. સમુદ્રના તટે જ આ બાળકનો જન્મ થયો માટે તેનું નામ સિન્ધુ પડયું.

સિન્ધુ દૈત્યના અત્યાચારથી દેવો ભયભિત બન્યા. ભગવાન ગણેશજીના શરણે ગયાં. દેવોએ સંકષ્ટિ વ્રત કર્યું. ભગવાન ગણેશજીનો એકાક્ષર મંત્ર 'ગં' દ્વારા ભગવાન ગણેશજીનું આરાધન કર્યું. ભગવાન ગણેશજી દેવોની સન્મુખ પ્રગટ થયાં અને કહ્યું કે પાર્વતી માતાજીને ત્યાં મારું પ્રાગટય થશે. માતા પાર્વતીજીએ ભગવાન ગણેશજીની આરાધના કરી. તે સમયે મહાદેવજી અને માતાજી ત્રિસંધ્યા ક્ષેત્રમાં હતા. ભગવાન ગણેશજીએ પાર્વતી માતાજીને વરદાન આપ્યું કે, હું તમારે ત્યાં પુત્ર તરીકે અવતરીશ. પાર્વતી માતાજીના પુત્ર કહેવાયા એટલે ભગવાન ગણેશજીનું નામ ગિરિજાત્મજ પડયું. 

જ્યારે અષ્ટ વિનયાકની યાત્રા ભક્તજનો કરે છે ત્યારે તે સ્થાનોમાં ગિરિજાત્મજ ભગવાન ગણેશજીના દર્શન કરે છે. આઠ સ્થાનો છે ભગવાન ગણેશજીના જે મહારાષ્ટ્રમાં જ છે. જેમાં ગિરિજાત્મજ સ્વરૂપ જે ભગવાન ગણેશજીનું છે તે લ્હેણાદ્રીમાં છે. એ જ ગિરિજાત્મજ મયુરેશ્વર બનીને આવ્યાં. 

ભગવાન મયુરેશ્વરે ગૌતમ ઋષિને બ્રહ્માંડ દર્શન કરાવ્યાં. ભગવાન મયુરેશ્વરની અનેક બાળ લીલાઓ છે એ ભગવાન મયુરેશ્વરે સિંન્ધુ દૈત્યનો વધ કર્યો. ચક્રપાણિ રાજાએ પોતાના નગરમાં ભગવાન મયુરેશ્વરની પધરામણી કરાવી અને ભગવાનનું પુજન કર્યું. તમામ દેવોએ અને ઋષિમૂનિઓએ મયુરેશ્વર ભગવાનની પુજા કરી. પોતાનું અવતાર કાર્ય પરિપૂર્ણ કરી ભગવાન મયુરેશ્વર પોતાના લોકમાં ગયા.

આમ, શ્રીમદ્ ભગવત ગીતાજીના આધારે કહી શકીએ તો દૈવી સંપદાએ આસુરી સંપદા ઉપર વિજ્ય મેળવ્યો. કામ, ક્રોધ, લોભ, મોહ આ બધી આસુરી સંપદા છે અને દરેક વ્ય ક્તની અંદર જે સદગુણ છે એ દૈવી સંપદા છે. સદગુણને પ્રદાન કરવાવાળા જો કોઈ દેવ હોય તો એ ભગવાન ગણેશજી છે. મને એક પં ક્ત સ્મરણ થાય છે કે, 'કરું ચંદન અને વંદન, પધારો પાર્વતી નંદન; તમે છો શિવજીના નંદન, પધારો પાર્વતી નંદન. ગુંથી મેં પુષ્પની માળા, સ્વીકારો સ્વામિ સૂંઢાળા; બિરાજો આવીને આસન, પધારો પાર્વતી નંદન. ધરાવું મોદક મનગમતાં, સદા રહેજો મનમાં વસતા; બિરાજો આવીને આસન, પધારો પાર્વતી નંદન.' આમ, ભગવાન મયુરેશ્વર દુર્ગુણોનો નાશ કરી આપણી અંદર સદગુણોને પ્રગટાવે, આપણે ભગવાન ગણેશજીને પ્રિય બનીએ એ જ અભ્યર્થના.. અસ્તુ.. ! 

- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી

Tags :