જય જય જોગમાયા ખોડિયાર
આદ્યશક્તિનો તું અવતાર
ભક્તજનો સૌ કરે પુકાર
કૃપા કરજો મા ખોડિયાર
ભાવનગર પંથકમાં બોટાદ પાળિયાદ પાસે રોહિશાળા નામના નાનકડા ગામમાં આદ્યશક્તિ મા ખોડિયારનું સ્થાનક છે. વિક્રમ સંવત ૮૩૬ની મહાસુદ આઠમના રોજ ખોડિયાર માતાજીનો જન્મ દિવસ મનાય છે. આ નાનકડા ગામમાં પશુપાલક મામડિયો ચારણ રહેતો હતો. ચારણની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈ મહાદેવે તેને આંઠ સંતાનો આપી તેનું વાંઝિયામેણું દૂર કર્યું હતું. સાતબેનો અને એક ભાઈએ અહિંયા પારણામાં જન્મ લીધો હતો. સૌથી નાનીબેન એ જોગમાયા ખોડિયાર છે. આજે પણ આ ગામમાં ખોડિયાર જ્યંતિ ઉજવાય છે.


