Get The App

"બુદ્ધિ અને બળ" .

Updated: Sep 11th, 2024

GS TEAM

Google News
Google News
"બુદ્ધિ અને બળ"                               . 1 - image


તમામ દેવતાઓએ ભેગા થઈને નિર્ણય કર્યો કે ચાલો જોઈએ કે હનુમાનજીમાં બુદ્ધિ અને બળ કેટલું છે?

એ બુદ્ધિબળની કસોટી કરવા માટે સ્વર્ગના દેવાતાઓએ સુરસા નામની એક સર્પની માતાને કહ્યું : તમારે પાંખો છે. તમારામાં ખુબ શક્તિ છે. તમે હનુમાનજીની યાત્રામાં એમની કસોટી કરો કે એમનામાં બુદ્ધિ અને બળ કેટલું છે?

સુરસા નામની સર્પની માતા આકાશ માર્ગે એકદમ ઊડીને હનુમાનજીની યાત્રામાં સામે આવીને બોલી : આ તો દેવતાઓએ મને ખોરાક આપ્યો. હું તને ખાઈ જઈશ.

હનુમાનજીએ હાથ જોડયા. માતાજી મને ખાવાથી જો તમારી ભુખ શાંત થતી હોય તો એ મારૃં સદભાગ્ય માનું છું પણ મ્હારી એક વિનંતી છે કે હું રામકાર્ય કરવા નીકળ્યો છું. એટલે રામજીનું કાર્ય કરીને પાછો આવું, શ્રી સિતાજીનો સંદેશો સરકારને પહોંચાડું અને પછી રામભક્ત તરીકે વચન આપું છું કે સામેથી તમારૃં ભક્ષણ બનીને આવીશ. સર્પિણીએ કહ્યું : મને ભુખ લાગે છે ત્યારે હું મારા ઈંડાને પણ ખાઈ જઉં છું. તો હું તને જતો કરૃં? મને તો અત્યારે ભુખ લાગી છે અને તું પાછો ન આવે એની ખાતરી શી? મારે તો અત્યારે જ તને ખાવો છે.

હનુમાનજીએ ઘણી વિનંતી કરી. કહ્યું : હું વચન આપું છું હું અવશ્ય પાછો આવીશ. આપ સ્ત્રી છો. હું એક મહિલાને સંદેશ આપવા જાઉં છું. એટલે એ મહિલાને નાતે પણ તમારે મને જવા દેવો જોઈએ. આટલું તો સ્ત્રી-સમાજનું ગૌરવ કરો! એક મહિલા પરાધીન છે. રાવણના બંદીગૃહમાં છે. હું ત્યાં જઈ રહ્યો છું.

સુરસાએ ન માન્યું: મારે તને ખાઈ જવો છે. રામયાત્રિકનું આકાશનું વિઘ્ન.

હનુમાનજીએ ઘણું કહ્યું છતાંય તેણે માન્યું નહિ. ઠીક છે, ખાઈ લો મને, ગળી જાઓ.

ત્યારે સુરસાએ મુખ પહોળું કર્યું. કારણ મુખ કરતાં કોળીઓ નાનો હોવો જોઈએ. તેથી એક યોજનમાં સુરસાએ મુખ પહોળું કર્યું.

એક યોજન એટલે ચાર ગાઉ. સર્પિણી તો શક્તિશાળી. તેથી તેમણે યાદ કરીને હનુમાને આઠ ગાઉં શરીર વધાર્યું. સુરસાને થયું કે આ સામાન્ય નથી. એટલે સોળ યોજન મુખ પહોળું કર્યું એટલે પવનપુત્ર બત્રીસ જેટલા મોટા થયા. 

જેમ જેમ સુરસા મુખ પહોળું કરે, તેમ તેમ હનુમાનજી ડબલ થાય.

આ વખતે એમ થાય કે હનુમાનજીએ સુરસાને મારી કેમ નાખી નહિ અને કહેવા લાગ્યા. માતાજી તમારે મને ખાવો હતો ને હું તમારા મુખમાં જઈ આવ્યો. તમારો ખોરાક બની ચુક્યો. હવે હું જાઉં ? હનુમાનજીનું આ બુદ્ધિ કૌશલ્ય જોઈને સુરસા પ્રભાવિત થઈ. તેણે એમ કહ્યું કે દેવતાઓએ મને જે કારણ માટે મોકલી હતી. તે બુદ્ધિ અને બળને હું પામી ગઈ. હનુમાન, મારો તને આશીર્વાદ છે. આમ વિઘ્ન આશિર્વાદ થઈ ગયું.

- ચેતન એસ. ત્રિવેદી

Tags :